ગુજરાત આરોગ્ય વિભાગની ઉદાસીનતા દેખાતા હવે ઇનસર્વિસ ડોકટરો પેન ડાઉન સ્ટ્રાઇકના માર્ગે,
- Praja Pankh
- May 16, 2021
- 3 min read
જો ઇન સર્વિસ તબીબો તા. ૨૪ મે ના રોજ સામુહિક રજા પર જશે તો કોરોના અને અન્ય પેસેંટોનું એ દિવસે શું થશે ?
કોરોના મહામારી સમયે તા. ૧૭ થી ૨૨ પેન ડાઉન સ્ટ્રાઇક, ૨૪/૫ ના રોજ સામુહિક પરચુરણ રજા, અને તા. ૩૧ મી એ અચોક્કસ મુદતની રજા પર જશે, તે પહેલા તારીખ ૧૭ મે થી પેન ડાઉન સ્ટ્રાઇક – જેમા કોઇ સરકારી પત્ર પર પેન ચાલશે નહી. એમની માંગણીઓમા ખાસ સરકાર કાયમી મહેકમનું બજેટ ફાળવે છે પણ અધિકારીઓ દ્વારા કાયમી ભરતીના સ્થાને કરાર આધારીત ભરતી કરીને ગેર માર્ગે દોરે છે કેમ ?. ૭ મુ પગાર પંચ જેવી અમારી અનેક રજુઆતો સરકાર અધિકારીઓ સાંભળે એવી છે, હવે જો ૨૪ તારીખે સામુહિક રજા પડે તો કોરોના અને અન્ય પેસેંટોનું શું થશે ? સરકાર આ બાબતે કોઇ પગલા લેવાનું વિચારશે ?
ગુજરાત ઇનસર્વિસ ડોકટર એસોસિએશન દ્વારા મળેલ બેઠક્મા એમની માંગણીઓના અનુસંધાને નીચે મુજબના અનેક નિર્ણયો લેવાયા છે, જેમાં સરકારમાં છેલ્લા પાંચ વર્ષ થી એસોસિએશનનાં પડતર પ્રશ્નો છે જેનો કોઇ નિકાલ ન આવતા તેઓ સ્ટ્રાઇક પર જઇ રહ્યા છે. તેઓને સરકાર પર આશા અપેક્ષા છે કે, જેમ તબીબી પ્રાધ્યાપકોની માંગણીઓમાં સરકારે સકારાત્મક અને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેવો જ અભિગમ સ્ટ્રાઇક પહેલા ઇનસર્વિસ ડોકટરોના પ્રશ્નો અને માંગણીઓને અપનાવી ઇન સર્વિસ તબીબીઓના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ લાવી અમને ન્યાય આપશે. . . .
સચિન : ગુજરાત રાજ્યમા 6 મેડિકલ કોલેજના અધ્યાપકો અને - GEMRS - જી ઇ એમ આર એસ ના ડોકટરોની વર્ષોની અનેક માંગણીઓનો ઉકેલ આવી ગયો જેથી હાલનાં તબક્કે આંદોલન સ્થગીત કરવામાં આવેલ છે. પરંતુ બીજી તરફ ઇનસર્વિસ ડોકટરોએ પોતાનાં આંદોલનને વધુ વેગ આપ્યો, એમને મળેલ ૧૫-૫-૨૧ની ઇનસર્વિસ ડોકટર એસોશિએશની બેઠક્માં નિર્ણય લીધો છે. જેમા ૧૭ તારીખ થી ૨૨/૦૫/૨૧ સુધી પેન ડાઉન સ્ટ્રાઇક રહેશે અને ૨૪ મીથી સામુહિક પરચુરણ રજા પર જશે તે બાદ પણ કોઇ સમાધાન કે ઉકેલ નહિ આવે તો તા. ૩૧ મી થી સામુહિક અચોક્કસ મુદદની રજા પર જવાનુ નક્કી થયુ છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાધ્યાપકોના હડતાળનો અંત લાવવા મુખ્યમંત્રી અને ગ્રુહમંત્રીએ પ્રયત્ન કર્યા અને સફળ રહ્યા છે, પરંતુ હવે ઇન સર્વિસ ડોકટરો પોતાની રજુઆતો માંગણીઓ લઇને ન્યાય માંગવા ઉભા થઇ ગયા છે. આ પ્રશ્નોની રજુઆતો છેલ્લા પાંચ વર્ષથી બાકી છે જેનો આજ દિન સુધી કોઇ નિવેડો આવ્યો નથી. આમ તો કોરોના મહામારીમા આજ ઇનસર્વિસ ડોકટરો એક પણ રજા ભોગવ્યા વગર એવોર્ડ પ્રાપ્ત ડ્યુટી કરી રહ્યા છે. છતાં એમની સાથે અધિકારીઓ એમને સાંભળવા બાબતે અવ્યવહાર કરી રહ્યા છે. સરકાર દ્વારા તેઓને પોતાની માંગણી માટે એક પણ તક આપવામા આવતી નથી. એમના પ્રશ્નોમા પી એસ સી માં પુરતા ડોકટરોની અરજીઓ હોવા છતાં કોઇ ને સિલેક્ટ કરવામાં આવતાં નથી, સરકાર કાયમી મહેકમનું બજેટ ફાળવે છે છતાં કરાર આધારીત જ કર્મઆરીઓની ભરતી કરે છે, રાજ્યના ડોકટરોને કેંદ્ર સરકારના ૭ પગાર પંચ પ્રમાણે લાભ અપાય છે, તેજ લાભ ઇન સર્વિસ ડોકટરોને પણ આપવો જ જોઇએ, અમને કેમ નથી આ લાભ અપાતો ? 7 માં પગાર પંચનો લાભ તા. ૦૧/૦૧/૨૦૧૬ થી એન.પી.એ. તરીકે આપવો, કેંદ્રના ધોરણે તબીબી અધિકારીઓને 6 ટ્ઠા પગાર પંચમાં ગ્રેડ પે ૫૪૦૦/- અને સાતમા મેટ્રીક્ષ લેવલ ૧૦ મુજબ આપવું, ૨૫ ટકા બેઠકો પોસ્ટ ગ્રેજ્યુ. માટે અનામત રાખવી, સર્વિસ કંટીન્યુસન સેવા સલગ્ન ગણવી, તેમજ તબીબીનાં પાત્રતા પ્રમાણે સમયસર ઇન સર્વિસ ડોકટરોને ખાલી જગ્યાઓ પર ત્વરીત બઢ્તી આપવી, તબીબી અધિકારીઓને મળતા ટીક્કુ કમિશનના લાભ આપવા, જેમા બીન જરુરી વાંધાઓ કાઢવાનો જે ટ્રેંડ શરુ થયો છે જે બંધ કરવો જોઇએ, તથા ઇનસર્વિસ ડોકટરોને મળવા પાત્ર અને ચુકવવાપાત્ર એચ.આર.એ. અને એન.પી.એ.ના નાણાં વસુલ કરવાનુ પણ બંધ કરો, આવી પાંચ વર્ષથી અનેકો રજુઆતો અને અમારા પ્રશ્નો અભેરાઇએ પડ્યા છે. આ અમારી વ્યાજબી ફરીયાદો અને રજુઆતો આરોગ્ય મંત્રી કે અધિકારીઓ 5 વર્ષ થી સાંભળતાં જ નથી. જેથી હવે ના છુટકે આ સ્ટ્રાઇકનો માર્ગ આપનાવ્યો છે. તા. ૧૭/૫/૨૧ થી તા. ૨૨/૦૫/૨૧ સુધી પેન ડાઉન સ્ટ્રાઇક રહેશે જેમા કોઇ સરકારી પત્ર પર પેનથી લખીશું નહી, અને ૨૪ મી એ સામુહિક પરચુરણ રજા પર જઇશું, તે બાદ પણ આ સમય મર્યાદામા અમારી રજુઆતોનો કોઇ ઉકેલ નહિ આવે તો તા. ૩૧ મી થી અચોક્કસ મુદદની રજા પર જવાની જાહેરાત કરી છે.
આમ હવે ઇનસર્વિસ તબીબો પણ પોતાની માંગને લઇને કોરોના મહામારી સમયે પેન ડાઉન સ્ટ્રાઇક પર જઇ રહ્યા છે તેવા સમયે હવે જોવાનુ એ રહ્યુ કે, સરકાર શુ પગલા લેશે ?
Comments