ગુજરાતમાં કોરોના ની મહામારી સમયે ગરિબ જરૂરિયાતમંદ પરિવારોને ધવલ દ્વારા અનેક પ્રકારની મદદ કરાશે.
- Praja Pankh
- Apr 22, 2021
- 3 min read

સુરત શહેરમાંથી ધવલ અકબરી નામક આ યુવાની ખુમારીને લાખ લાખ - સલામ કરવાનું મન થાય છે. મસીહા બનીને આગળ આવેલ ધવલભાઈ અકબરીએ જે મોટો સંકલ્પ કર્યો છે તે છે કે, જે કોરોના મહામારીના બીજા તબક્કામાં સપડાયા છે, એવા જરુરીયાત મન્દોને જરૂરથી મદદ કરવી. કોઇ બાકિ ન રહે, તેઓએ જે અભિયાન શરુ કર્યું છે તે ફક્ત સુરત શહેરમાં જ નહિ આખા ગુજરાત ભરના જરૂરિયાતમંદો લોકોને લાભ આપશે, .... આ પવિત્ર અભિયાનની શરૂઆત થતાંની સાથે જ અનેક લોકો તેમનો અને તેમની ટિમ નો લગાતાર સંપર્ક પણ કરી રહ્યા છે. : ગૌ સેવક રમેશ ભાઈ રૂડાણી

કોરોના જેવી આ મહા મુસીબતમાંઅનેક લોકો તકલીફમાં મુકાઈ ગયા છે. આવા મુસીબતમાં મુકાયેલ પરિવાર માટેમસીહા થઈને આવેલ ધવલ અકબરી સાથે આરડીએક્સ ઇવેન્ટ,કરુણા ગૌ સેવક ટ્રસ્ટ,રોટ રેક્ટ ક્લબ સુરત ઇસ્ટ,મુસ્કાન ફેમેલી ચેરીટેબલ ટ્રસ્ટ,વ્રજ વલ્લભ ગ્રુપ અને ભવાની ગ્રુપના યુવા સ્વયંમ સેવકો જોડાઈ ચુક્યા છે. આ દરેક સભ્યો અનાજની કીટોથી માંડીને બસ,ટ્રેન અને હવાઈ જહાઝની ટિકિટો પણ વિના મુલ્યે જરૂરિયાત ધરાવતા પરિવારો ને આપવાની શરુઆત કરી દિધી છે. : સમાજ સેવીડાહ્યાભાઈ ચોવટિયા

સચિન પ્રજા પંખ દ્વારા: કળયુગમાં સર્વ દાનો માં અન્નદાન સર્વ શ્રેષ્ઠ દાન કહેવાય છે. કેમ કે, અન્ન એ પ્રાણીઓનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક સાધુ સંતોએ વર્ષો પહેલા કહ્યું છે શાંતિ આપના મનમાં છે જો આપ પ્રેમ અને પોઝિટિવ વિચાર કરશો, આપ કોઇની તરફ જોશો, દાન કરતાં રહેશો તો પ્રભુ આપ તરફ જરુર જોશે, સારા વિચાર હશે તો પ્રભુ પણ સેવા કાર્યમાં જોડાય છે. જેથી કોરોના કાળમા આવા જરૂરિયાત મંદોની વેદના સમજી ગયેલ સુરત શહેરના અનેક ભામાશાઓએ પવિત્ર રામ નવમીના પાવન અવસર ઉપર સુરત શહેરથી એક જન સેવાનો મહા યજ્ઞ શરુ કર્યો છે. આ યજ્ઞ સુરત સાથે ગુજરાતમાં કોરોના ની મહામારી સમયે ગરિબ જરૂરિયાતમંદ પરિવારોને આ ધવલ અક્બરી દ્વારા અનેક પ્રકારની મદદ કરાશે. ધવલ અકબરી નામના સુરતના યુવકે કરેલ સંકલ્પમાં અનેક દરિયા દિલ લોકો પણ જોડાઈ ને આખા અભિયાન ને સફળ બનાવશે. સુરતમાં મોટા વરાછા હર ભોલા પાર્ટી પ્લોટ ખાતે થી આ અભિયાન શરુ થતા જરૂરિયાત મંદ લોકો આ ભામાશાઓનો સંપર્ક કરી રહ્યા છે. ભારતીય દોહામા કહ્યુ છે તેમ, કંચનસે કીરત બડી, કીરતસે બડા કલ્યાણ, કલ્યાણસે ઇજ્જત બડી, ઇજ્જતસે બડા દાન., કબીર કહે કમાલ કો, દો બાતાં તું શીખ લે, કર સાહબકી બંદગી ઔર ભૂખે કો દે અન્ન., લેને કો હરિનામ હૈ, દેનેકો અન્નદાન; પાર ઉતરને લીનતા, ડૂબને કો અભિમાન. આ સમગ્ર દોહાને સાર્થક કરવા આ યુગના યુવાન એવા ધવલ અકબરી અને એમની ટીમ મેદાને ઉઅતરિ છે. આજે કોરોના વાયરસ નો ખતરો વધવાથી ગુજરાતમાં અનેક લોકો ને રોજ કમાઈને ખાવું અને ગુજરાન કરવું બહુ જ મુશ્કેલ બન્યું છે. જેઓ બિમાર છે, દવા ખરીદી નથી શકતા આવા અનેક જરૂરિયાત મંદ પરિવાર માટે ખરેખર ભામાશા બનીને આવ્યા છે આ ધવલ. સુરતના યુવા ધવલ અકબરી અને તેમની ટિમમાં ડાહ્યાભાઈ ચોવટિયા, રમેશભાઈ રૂડાની, કૌશિક ભાઈ વોરા અને ઉદાર હૃદયના બીજા ઘણા ઉત્સાહી યુવાઓએ ધવલ અકબરી નો હાથ પકડી આ અભિયાનનો હિસ્સો બન્યા છે. સુરત અને આખા ગુજરાતમાં જરૂરિયાતમંદ પરિવારોને આ ટીમ મદદ કરશે. આજના પ્રેસ કોન્ફરન્સ માં એમનાં જણાવ્યા મુજબ આ ધવલભાઇ સમગ્ર સુરત સાથે પૂરા ગુજરાત માં જરૂરિયાતમંદ પરિવારો માટે આજથી હજારો ની સંખ્યા માં કીટ નું વિતરણ કરશે. આજે, મુસીબત માં રહેલ પરિવાર માટે સુરત માં કૃષ્ણ બનીને એક એક પરિવારના તાંદુલ નું ઋણ ચૂકવવા એક મસીહા બનીને આવ્યો છે. તેનું સપનું છે આવા કપરા કાળમાં માનવ સેવા એજ પ્રભુ સેવા છે, જેથી જરૂરિયાત મંદ લોકો ને એ મદદ કરશે, જેમાં તેઓ તરફથી આજે પવિત્ર રામ નવમી થી કરિયાણા કીટની શરુઆત કરી છે, તથા જેમણે વતન જવું હોય તેમના માટે રેલવે, પ્લેન કે પછી બસ જે ટિકિટ જોઈએ તે કરી આપશે. આ ઉપરાંત જેમને ઘર ભાડું ભરવા માં તકલીફ હોય તેમનું મકાન નું ભાડું અને કોરોના માં થયેલ દવા નો ખર્ચ પણ આ ધવલ, શેઠ જગડુશા બની મદદ કરશે. વ્યવસાએ ઇવેન્ટ મેનેજેન્ટ ની કંપની ચલાવે છે અને એમ.બી.એ. થયેલા આ પાટીદાર ના દીકરા ના હદય માં રામ જાગ્યા છે. જે આજના યુગમાં મોટી વાત કહેવાય. ધવલે સમગ્ર વસ્તુ નું વિતરણ કેમ કરવું જેનું પુક્તા આયોજન કર્યું છે તેની સાથે નીચે આપેલા કોન્ટેક્ટ પર કોલ કરી ને આપ જે લોકો ને જરૂર હોય તેના માટે ઉપયોગી બની શકો છો. આ ભાઈઓને કોલ કરીને આપની જરૂરિયાત જણાવી શકો છો. (૧) ડાહ્યાભાઈ ચોવટિયા ૯૬૩૮૭૦૫૮૪૦ (૨) કૌશિક ભાઈ વોરા (૩) 7211115211 રમેશભાઈ રૂડાની (૪) ૯૯૨૪૫૬૩૩૫૪ (૫) જયેશભાઇ પડમાની. ૯૩૭૪૭૧૨૫૫૦ (૬) અલ્પેશભાઈ માંનસારા ૯૦૯૯૨૮૩૦૪૦ (૭) શુભાશભાઈ અકબરી ૯૩૨૮૫૯૮૨૯૭ (૮) રાજેશભાઈ અકબરી. ૯૩૭૪૫૪૧૭૯૯ ને જાણકારી આપી નીચેના સ્થળે થી સવારે 9 વાગે હર ભોલે પાર્ટી પ્લોટ મોટા વરાછા થી સુરત વિતરણ મેળવવાનું રહેશે આ સેવાકીય કાર્ય સુરત સાથે સમગ્ર ગુજરાતમાં કરવાનો ધવલ ભાઈ અકબરી નો સંકલ્પ છે એવું જણાવ્યું છે......
留言