top of page

ગભેણીનાં ઇરછમોરા મહાદેવ મંદિરે ઘી નું કમલ ખીલ્યું, ભાવિક ભક્તો ઉમટી પડ્યા...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 2, 2022
  • 1 min read

સચિન પ્રજા પંખ : ગભેણીગામ ના ઇચ્છામોરા મહાદેવ મંદિર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા

વર્ષો જૂનું ઇચ્છામોરા મહાદેવ મંદિર ની રીનોવેશન બાદનું ૨૩મી સાલગીરા ઉત્સવ યોજાયો હતો, આ ઉત્સવ ત્રણ દિવસ સુધી સતત ચાલે છે, આ મંદિરે આવનાર ભાવિક ભકતોની મનોવાંચ્છિત મનોકામના પૂર્ણ થાય છે જેથી ત્રણે દિવસે ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને શિવરાત્રી એ તો મનમોહક મોટું ઘી નું કમલ બનાવી શિવ મંદિરમાં દર્શન કાજે પ્રસ્થાપિત કરવામાં આવે છે. વધુમાં ગામના માજી સરપંચ અને અગ્રણી તથા મહામંત્રી મોહનભાઈ એ જણાવ્યું કે, સાલગીરીમાં હોમાત્મક શિવ લઘુ રુદ્ર યાગ રાખવામાં આવે છે સાથે મહા પ્રસાદી પછી બીજા દિવસે શિવરાત્રિનું પૂજન અર્ચન રાખવામાં આવે છે જેથી ભાવિક ભક્તો ઉમટી પડતાં, ગભેણીમાં જાણે ત્રણ દિવસનો મીની મેળાનું વાતાવરણ ઉભુ થઈ જાય છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page