ગજેરા વિદ્યાભવન, ખાતે બાળકો માટે ચીરસ્થાયી ઊર્જા અને કલાઈમેન્ટ ચેન્જ વિષે જાગૃતતા કાર્યક્રમ યોજાયો.
- Praja Pankh
- Dec 1, 2021
- 1 min read


જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ગજેરા વિદ્યાભવન, ખાતે બાળકો માટે ચીરસ્થાયી ઊર્જા અને કલાઈમેન્ટ ચેન્જ વિષે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો....
સચિન પ્રજાપંખ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, અંતર્ગતના ગુજરાત કાઉન્સિલ ઓનટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત(District Community Science Center) દ્વારા ચાલુ વર્ષે પણ શાળામા જ બાળકો/શિક્ષકો માટે “ચિરસ્થાયી(ટકાઉ) ઊર્જા અને કલાઈમેન્ટ ચેન્જ અંગે જાગૃતતા કાર્યક્રમો (Awareness Generation Programmes on Sustainable Energy climate change)” યોજવા આયોજન કરવામાં આવેલ છે, આ કાર્યક્રમ દ્વારા બાળકો નાનપણથી જ અભ્યાસકાળ દરમિયાન ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે જાગૃત અને કોન્સીયસ બને અને ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય, શાળામાં અને બાળકોના માધ્યમ દ્વારા સંદેશો ઘરે-ઘરે અને સમાજમાં પહોંચાડે, વિશાળ જનસમુદાય તેને વ્યવહારમાં અમલ કરે, પુન:પ્રાપ્ત/હરિત ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો અને કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ દ્વારા ઊર્જાની ઉણપને ઘણા અંશે નિવારી શકાય તે મુખ્ય આશય છે
ગજેરા વિદ્યાભવન પ્રાથમિક અને માધ્યમિક(ગુજ.માધ્યમ), કતારગામ ખાતે બંને વિભાગમાં વિધાર્થીઓ માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા, CSC-સેન્ટરના ડાયરેકટર શ્રી જી.એન. કાકડિયાએ આજના વિષય પર પ્રવચન/પ્રેજેન્ટેશન, ડોક્યુમેન્ટરી ફિલ્મ, પ્રદર્શન અને પ્રશ્નોત્તરી(ક્વિઝ) વગેરે પ્રવૃત્તિ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, અને અંતે ઉર્જા ક્વિઝમાં યોજવામાં આવી અને બાળકોને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, શાળા આચાર્યશ્રી નીલેશભાઈ જોશી, ડે.આચાર્ય, શ્રી હરેન્દ્રભાઈ ખુબજ સરસ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું અને શિક્ષકમિત્રો પણ હાજર રહી ખુજ સહયોગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો, આજના કાર્યક્રમાં ધો.૧૦ના મોટી સંખ્યામાં (૪૫૦ વધું) વિધાર્થીઓ/શિક્ષકો સહભાગી થયા હતા, આજનો કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો એવું
જી. એન. કાકડિયા, ડાયરેક્ટર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરતે જણાવ્યું
Comments