top of page

“કૌશલ વિધાભવનમાં કેરિયર ગાઇડન્સ અને વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો”

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 15, 2022
  • 1 min read

પ્રજાપંખ:-

મદન મોહન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત ‘કૌશલ વિધાભવન' માં આજ રોજ તારીખ ૧૦/૦૯/૨૦૨૨, શનિવારના રોજ ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામની સાથોસાથ ધોરણ ૯ થી ૧૨ ના વિવિધ સ્પર્ધામાં ક્રમાંકિત વિધાર્થીઓના અભિવાદનના કાર્યક્રમનું પણ આયોજન થયુ હતું આ પ્રોગ્રામમાં હાલમાં માઇક્રોસોફટ કંપનીમાં કાર્ય કરતાં નિતેશ ડોબરીયા તેમજ જાણીતા શિક્ષણવદ્ રાઘવજીભાઇ વેકરીયા દ્વારા ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના IT ક્ષેત્રમાં કેરિયર વિશે પ્રેકટીકલની ઉંડાણપૂર્વક માહિતી આપી તેમજ ભારત સેવાશ્રમ સંધ હિન્દુ મિલન મંદિરના આયોજીત વિવિધ સ્પર્ધામાં કુલ ૧૮ વિધાર્થીઓએ સુરતમાં વિવિધ ક્રમ પ્રાપ્ત કર્યા અને શ્રી સ્વામિનારાણ ગુરૂકુળ દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં વિધાર્થીઓએ કુલ ૪ સુરત લેવલે વિવિધ ક્રમ પ્રાપ્ત કર્યા હતા આ તમામ વિધાર્થીઓનું મહેમાનશ્રી, ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page