કોરોના યોદ્ધાઓને સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ, પલ્સ ઓક્સિમીટર, થર્મલગનનું ડોનેશન
- Praja Pankh
- May 31, 2021
- 1 min read

ધીરજ બેકર્સ તરફથી કામરેજ તાલુકાના કોરોના યોદ્ધાઓને સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ,
પલ્સ ઓક્સિમીટર, થર્મલગનનું ડોનેશન
સુરત:સોમવાર: કોરોનાને અટકાવવા માટે જીવના જોખમે કાર્યરત કોરોના વોરિયર્સ એવા ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આશાબહેનો લડત આપી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકાર ઉપરાંત અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના જાગૃત્ત નાગરિકો કોરોના અટકાયતની કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે. તેવી સ્થિતિમાં કામરેજ તાલુકાના પ્રખ્યાત ધીરજ બેકર્સ તરફથી કોરોનાને નાથવા માટે સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ, પલ્સ ઓક્સિમીટર તેમજ થર્મલગન જેવા સંસાધનો આશાબહેનો, આરોગ્યકર્મીઓ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને અર્પણ કરવામાં આવી હતી.
કામરેજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. શાંતકુમારીએ સહાય પૂરી પાડનાર ધીરજ બેકર્સના સંચાલકો કપિલભાઇ અને વિશાલભાઇ તેમજ સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરી તાલુકાની જાહેર જનતાને કોવિડ-૧૯ કોરોના સામે માસ્ક પહેરવા, વારંવાર સાબુ કે સેનેટાઇઝર વડે હાથ ધોવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ બે ગજનું સામાજિક અંતર રાખવા અપીલ કરી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અજિતભાઇ આહીર, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઇ રાઠોડ અને કામરેજ તાલુકાના અગ્રણી કિશોરભાઇ કંથારીયા તેમજ બ્રહ્મસમાજના અગ્રણી કમલેશભાઇ મહેતા અને કામરેજના એડવોકેટ અલ્પેશભાઇ ભૈરવિયા, વિપુલભાઇ માહ્યાવંશી ઉપસ્થિત રહ્યા હતા.
Comentarios