top of page

કોંગ્રેસે- મનોજસિંહ પરમારને નવસારી શહેર અને જિલ્લાના સંયોજક પ્રભારી બનાવ્યા.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 31, 2021
  • 3 min read


સચિન પ્રજા પંખ : કોંગ્રેસે તેના 137 વર્ષના ઇતિહાસમાં સ્વતંત્ર ભારતમાં સહુથી વધુ વર્ષ 49 વખત શાસન કર્યું છે. કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ શાસનને પડકારવા માટે 1885માં ઉચ્ચ કક્ષાના બુદ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સમય સમયનું કામ કરે, આપણે જાણીએ છીએ તેમ સઢ વિનાનું વહાણ કદી મંઝિલે પહોંચતું નથી. આટલા વર્ષો બાદ કોંગ્રેસ પાસે કોઈ રોડમેપ જ દેખાતો નથી. મજબૂત લોકશાહી માટે મજબૂત વિપક્ષ જરૂરી હોય છે એ નાતે કોંગ્રેસના સિતારા ગર્દિશમાંથી બહાર આવે તે પણ જરૂરી છે. વખતો વખત પક્ષ માં સુધારા જરૂરી હોય છે, જે આ વખતે કોંગ્રેસે કર્યા છે, બાકી જ્યારે શાઈનિંગ ઈન્ડિયાના નારા વખતે સોનિયા ગાંધીએ જે રીતે કોંગ્રેસને સત્તાના સિંહાસને લાવી એ વખતે પણ કોંગ્રેસ માટે અનેક પડકારો હતા, પરંતુ રાજકારણમાં તકો સર્જાતી રહેતી હોય છે. એવી તક સચિન ખાતે રહેતા નિખાલષ, કર્મઠ એવા કોંગ્રેસના નેતા મનોજસિંહ પરમારને મળી એ તક ના પદમાટે શુભેચ્છા આપતાં આપતાં એક પ્રશ્ન કર્યો કે, કોંગ્રેસમાં આવા ફેરફાર અચાનક કેવી રીતે આવી ગયા? ત્યારે એમણે સહજતાથી મ્રુદુભાષામા જવાબ આપ્યો કે, કોઈ પણ પક્ષ હોય, દરેકે પક્ષ તરીકે સતત સજ્જ રહેવાનું હોય છે. સહુ જાણે છે કે અનુભવી નેતાઓનાં ચતુષ્કોણથી જાતિગત સમીકરણો તો ગોઠવાય જ છે પરંતુ સાથે સાથે નાનામાં નાનાં કાર્યકર્તાને પણ સાંભળી યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ, જે અમે કોંગ્રેસ દ્વારા હમેશા કરતાં રહીએ છીએ, છતાં ગુજરાતમાં કાર્યકર્તાઓનો જુસ્સો વધુ બુલંદ કરવાની ઝુંબેશ અમે ક્યારની શરૂ કરી છે અને આ વાત મહા નગર પાલિકાની ચૂંટણીમાં પણ દ્રશ્યમાન થઈ હતી. કોંગ્રેસ તો જાણે જ છે કે કાર્યકર્તા જ ચુંટણી જીતવી શકે, કે હરાવી શકે છે. કોંગ્રેસ એપણ જાણે જ છે કે, સારા કાર્યકર્તાઓને પ્રમોશન આપવું જોઈએ. કેમ કે, એવા કાર્યકર્તા સાથે મળીને પ્રજાનાં પ્રશ્નો ને નિરાકરણ લાવીને કોંગ્રેસનું નવસર્જન કરી શકાય છે. હું જાણું છુ કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ ઘસારો લાગ્યો છે. જેનાથી અમે નિરાશ નથી થયા, અમે સંશોધન કર્યું, એમના જવાબ સામે મે તરતજ કહ્યુ કે, એટલે આ વખતે નવા સમીકરણમાં મનોજ સિંહ પરમારને તક આપી ? ત્યારે મનોજસિંહ એક સારા વ્યક્તિત્વ સાથે સારા નેતા પણ છે પરંતુ તેઓ સદા કાર્યકર્તા તરીકે જ કાર્ય કરે છે. એવા કર્મઠ મનોજ સિંહ પરમારને હાઈ કમાન્ડે નવસારી શહેર અને જિલ્લાના સંયોજક પ્રભારી બનાવ્યા છે ? ત્યારે એમણે કહ્યું કે, એક નાના કાર્યકર્તાને હોદ્દાના લાયક ગણ્યો એજ કોંગ્રેસની મોટી ખાસિયત રહી છે. ત્યારે મે કહ્યું કે શું હવે શહેર-ગ્રામ્યમાં બદલાવ આવશે ? ચુંટણી સામે છે, ત્યારે જવાબમા કહ્યુ કે, નવસારી શહેર અને નવસારી જિલ્લા સંયોજક પ્રભારી તરીકે મારા પ્રથમ દિવસ ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો. તથા નવસારી શહેર અને જિલ્લાના દરેક કૉંગ્રેસ પરિવાર ના સદસ્યો દ્વારા મને ખુબ સારો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. આવતા સમય માં સંઘઠન ને વધુ મજબૂત બનાવવા અનુલક્ષી ચર્ચા વિચારણા કરીશું, હું સવિશેષ રીતે નવસારી જિલ્લા પ્રમુખ ભાઈ શૈલેષભાઇ પટેલ, નવસારી શહેર પ્રમુખ નીરવભાઈ નાયક, MLA અનંતભાઈ પટેલ, એ ડી પટેલ, માજી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, માજી શહેર પ્રમુખ દીપકભાઈ બારોટ, ગોવિંદભાઇ, સેવાદલ, મહિલા કૉંગ્રેસ, યુથ કૉંગ્રેસ, અસંગઠિત કામદાર કૉંગ્રેસ, ઈન્ટુક તથા દરેક કૉંગ્રેસ ના દરેક પદાધિકારી તથા દરેક કૉંગ્રેસ પરિવાર ના દરેક સદસ્ય નો હું ખૂબ ખૂબ આભારી છું. હું મારી સાથેના કાર્યકર્તાઓ સાથે હળી-મળીને કામ કરીશ એ વાત નક્કી જ છે. સાથે ગુમાવેલો જનાધાર અને જનતાનો વિશ્વાસ પરત લાવવાની ફોર્મ્યુલા પણ ઉપરોક્ત તમામ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેસીને આત્મમંથન કરીને અમે શોધી કાઢીશું, આ ઉપરાંત એમણે કહ્યું કે, સ્થાનિક રાજકારણનાં કે વિકાસના મુદ્દાઓ સાથે નાનામાં નાના કાર્યકર્તાને સાથે રાખીને એના નગરના નગરજનો સાથેનું નેટવર્ક રાખી ગ્રામજનો સાથે અમારું સેતુ રૂપનું જોડાણ હમેશા જીવંત રાખીશું. હવે નજીકની વિધાન સભા ચુંટણી માટે હવે ફક્ત ૧૦ મહિના છે. સમય ઓછો છે. છતાં અમે સહુ સાથે રહીને આત્મમંથન કરી નવો અવસર શોધી પક્ષને જીતાડવાનો રોડમેપ નક્કી કરી ચુંટણી જીતવા આગળ વધીશું એવું પણ જણાવ્યું, ત્યારે નવા સંયોજક પ્રભારી મનોજસિંહ પરમારની કાર્યપદ્ધતિ કારગત નીવડે છે કે નહિ એ સમય નક્કી કરશે.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page