top of page

કોઈ નરાધમે હજીરા ખાતે નંદીમહારાજના પેશાબ ની જગ્યાએ તાર વીંટી દિધો હતો,

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 11, 2021
  • 2 min read

સચિન પ્રજા પંખ 11-04-2021 : કોઈકે સાચું જ કહ્યું છે, એક પશુને તમે જેટલો પ્રેમ આપશોને તેનાથી બે ગણો પ્રેમ તેઓ બદલામાં તમને આપશે, તે હમેશા વફાદાર રહેંશે. તેમનું આ માણસો જેવું થોડું છે સાલું કામ પતી ગયા પછી તું કોણ ને હું કોણ ? તેમને માત્ર જરૂર છે આપણા પ્રેમની આપણી હૂંફની અને વધારેમાં તેઓ આપણી પાસેથી બીજું કઇક મેળવવાની આશા પણ રાખતા નથી. તેઓ તરફ દર્શાવવામાં આવેલો આપણો 'પ્રેમ' તેઓ એ થોડા ઘણા પ્રેમના બદલામાં પોતાની આખીયે જીંદગી આપણા પ્રત્યે વફાદાર રહે છે. આજ કામ કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ હમેશા કરતું આવ્યું છે , પરંતુ આ દેશમાં એવા પણ હરામખોર હોય છે કે, જેઓ પશુઓને જીવ છે એ સમજતા જ નથી. આવા શેતાન નરાધમોને એવી જ સજા કરવી જોઈએ જેવુ તેઓ પશુઓ સાથે કરે છે. ગત રોજની વાત જાણીએ તો હજીરા ખાતે એક નંદીમહારાજ ને કોઈ નરાધમોએ મૂત્રમાર્ગ (પેશાબ ની જગ્યાએ) ડબલવળ વાળો તાર વીંટી દિધો હતો, આપ કલ્પના કરો કે માણસોના મૂત્રમાર્ગ પાસે જરા વાગે તો જીવ નીકળી જાય એટલૂ દુ:ખ થાય છે જ્યારે આ તો આખો તાર વીંટી ને પેશાબ બંધ કરી દીધો હતો કોઈ હરામખોરે, ખરેખર "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં" ના સિધ્ધાંતને વળગીને કામ કરતી કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થા તેમજ "શ્યામ તથા આત્મીયવીલા મહિલા મંડળ" દ્વારા ગત રોજ તા:-10-4-2021 ના રોજ હજીરા વિસ્તારના ગૌ સેવક શશીભાઈ આહીર ના ધ્યાનમાં એક નંદી મહારાજ ગંભીર હાલતમાં ધ્યાનમાં આવ્યા હતો અને તપાસ કરતાં જાણ્યું કે, નંદીમહારાજ ને કોઈ નરાધમોએ મૂત્રમાર્ગ (પેશાબ ની જગ્યાએ) ડબલવળ વાડો તાર વીંટી દિધો હતો, જેથી છેલ્લા ત્રણ ચાર દિવસ નુ મુત્ર શરીરમાં જમા થયેલું હતું , આ જોઈને યુદ્ધના ધોરણે તાત્કાલિક 1962 કરૂણા એમ્બ્યુલન્સ બોલાવી વીંટેલો તાર કાઢ્યો તથા મૂત્રમાર્ગ માંથી પેટમાનો કચરો અને પેશાબ, પરૂ તથા લોહીનો બગાડ કાઢવાની સારવાર કરી હતી. ટ્રસ્ટ ના ગૌસેવકો એ આ નંદીમહારાજ ને વધુ સારવાર અર્થે ૐ નંદેશ્વર મહાદેવ ગૌશાળા, લાડવી ખાતે મુકેલ છે, નંદી મહારાજની હાલત જોતાં આવા નરાધમોને પ્રભુ ક્યારેય માફ નહીં કરે. આજ પ્રકારે આજ રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો ને પગમાં ઈજાગ્રસ્ત ગલૂડીયુ અને બે દિવસ થી એક જ જગ્યાએ બેસી રહેલા ગૌમાતા ધ્યાનમાં આવતા તાત્કાલિક 1962 કરૂણા એમ્બ્યુલન્સ બોલાવી બંને જીવ ની સારવાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 
 
 

Коментарі


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page