કર્મઠ, લોકપ્રિય, સેવાભાવી, સંદિપ દેસાઇ નું સચિન વિભાગ કેળવણી મંડળ દ્વારા જાહેર સન્માન કરાયું
- Praja Pankh
- Aug 7, 2021
- 2 min read

સચીન પ્રજા પંખ દ્વારા : એલ ડી હાઇસ્કુલ ખાતે આજે ત્રિવેણી સંગમનું લોકાર્પણ થયું તે શુભ પર્વ ઘડીએ સહુ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં સચીન કેળવણી મંડળ પ્રમુખ સંદિપ દેસાઇ, ભાજપના જિલ્લા સંગઠ્ન પ્રમુખ બનતા તેમનુ વિશેષ જાહેર સન્માન તાળીઓનાં ગુંજ વચ્ચે સચીન કેળવણી મંડળ દ્વારા પધારેલ મુખ્યમહેમાનો હસ્તે શાલ ઓઢાવી, સન્માન પત્ર અને સ્મ્રુતિ ભેટ અર્પણ કરી કરવામાં આવ્યું હતું, આ સન્માનના હક્દાર સંદિપ દેસાઇ એ માટે છે કે, તેઓ જમીન સાથે જોડાયેલો કિસાન પુત્ર છે, જેનાથી આમ છેવાડાના આદમીને જોઈતી સવલતોની એણે ખબર પડે છે. તે રાજકારણ ની સાથે સહકારી અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ છે, સંદિપ દેસાઇ હમેશાં સેવાને જીવન મંત્ર બનાવનાર કર્મઠ, રાજકીય, કાર્યદક્ષ, શિક્ષણ પ્રેમી અને સર્વ પ્રિય યુવા નેતા છે. જેથી આજનો યુવાન આ સંદિપ દેસાઇ માંથી ઘણી પ્રેરણા મેળવી શકે છે, તેમણે ૧૯૯૦ થી સહકારી અને રાજકિય ક્ષેત્રે પ્રવેશ કર્યો છે, ૨૦૦૪ થી ૨૦૦૯ ભાજપા યુથ પ્રેસિડેન્ટ રહ્યા, ૨૦૦૯ થી ૨૦૨૦ સુરત જિલ્લા ભાજપા મહામંત્રી તરીકે સુંદર કામગીરી કરી એટલે મોવડી મંડળે સુરત જિલ્લાના પ્રમુખનો તાજ અર્પણ કર્યો. તેઓ કોલેજકાળમાં જનરલ સેક્રેટરી, ચોર્યાસી ડેરી ડીરેકટર, એ.પી.એમ.સી.માં ડીરેકટર તરીકે જોડાયા બાદમાં ૨૦૧૮ થી એ.પી.એમ.સી.મા ઉપપ્રમુખ, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક ડિરેકટર તરીકે જોડાયા અને ઉપપ્રમુખ તરીકે ૨૦૧૫-૧૬ માં વરાયા, જ્યાં ભણતર મેળવ્યુ એ જ સચિન વિભાગ કેળવણી મંડળમા ૨૦૧૫-૨૦૧૬ ઉપપ્રમુખ અને ઓગષ્ટ ૨૦૧૭ થી પ્રમુખ તરીકે સતત સેવા આપી રહ્યા છે. તે આટલા બધા ઉચ્ચપદે બિરાજમાન હોવા છતાં આજે પણ સક્રિયતા, માનવતા અને લોકકલ્યાણની ભાવના અવશ્ય રાખે છે, આ વ્યક્તિને છેવાડાના માનવીની પીડા સ્પર્શે છે અને તેઓ એમને માટે કંઈક કરી રહેવા હમેશા આગળ રહે છે. એને મોટા પદનો ઘમંડ નથી, એવા યુવા અને કર્મઠ સહુના લોકપ્રિય અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા સંદિપ દેસાઇ તેમની કાબેલિયતથી આજે ભાજપ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે અને તેનો ગર્વ સચિન વિભાગ કેળવણી મંડળને છે, સાથે સાથે સંદિપ દેસાઇ એ ધી સુરત ડિસ્ટ્રીક કો.ઑ. બેન્કના ઉપ-પ્રમુખ, એ પી એમ સી માર્કેટના વાઇસ ચેરમેન, સુમુલ ડેરીના ડિરેક્ટર અને ચલથાન શુગર ફેકટરીના ડિરેક્ટર અને આસ્ફા કો.ઓ. ફાર્મસી લિ. વિગેરે અનેક સંસ્થાઓમા તન મન થી સેવા આપી રહ્યા છે. તેઓ મુળ કનસાડ ગામના વતની હોવાથી અને સુરત જિલ્લા ની શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રસર સચિન વિભાગ કેળવણી મંડળના પ્રમુખ હોવાથી સચિન સાથે જમીની નાતો ધરાવે છે એવા કર્મઠ સેવાભાવી વ્યક્તીને આજે મંડળ દ્વારા સન્માનિત કરાયા જેના પ્રત્યુતરમાં સચિન કેળવણી મંડળના અધ્યક્ષ દિનકરભાઇ નાયક અને મંડળના તમામ પદાધિકારીઓ અને શિક્ષકગણો તથા ખાસ આજના મહેમાન તરીકે પધારેલ અતિક્ભાઇ દેસાઇ - મુખ્ય વહીવટી અધિકારી અને ઉપ પ્રમુખ એલ. એન્ડ ટી. હજીરા હતાં સાથે કમલેશભાઇ યાજ્ઞિક – અધ્યક્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી-સુરત, અમિત મહેતા, આલ્ફા ફાઉંડેશન વાપી અને કેમિકલ ઉધોગપતી અશ્વિનભાઇ દેસાઇ, છાયડાના ભરતભાઇ શાહ ઉપરાંત અનેક મહાનુભાવોનો આભાર માન્યો હતો.
Bình luận