top of page

કરુણા ગૌ સેવા ટ્રસ્ટનો કાળીચૌદશના કકળાટ નાં વડા પાણી નો ગૌ ભોજન રૂપે ઉપયોગ કરવા નવી અપીલ.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 28, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં " જેવા પવિત્ર સૂત્રને કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ"ના ગૌસેવક ભાઈઓ તથા ગૌસેવિકા બહેનો હંમેશા સાર્થક કરતાં આવ્યા છે. આ વખતની દિવાળીમાં પણ નવા યુગમાં નવી પદ્ધતિથી જીવન જીવતા શીખવું જોઈએ. જે માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળીના કાળીચૌદશના અંધશ્રદ્ધા રૂપી કકળાટના વડા તથા પાણી અનેક સમાજના થોડા ઘણા લોકો પોતાના મોહલ્લા નાં ચોક ઉપર મૂકી ને ચાલ્યા જાય છે, ત્યારે આ અન્ન ઉપરથી અનેક વાહનોની આવન જાવન થતાં આ મહા મૂલ્ય અન્ન અને પાણી નો ખૂબ બગાડ થાય છે અને સાથે સાથે આ અન્ન પાણી દ્વારા રસ્તા ઉપર સારી એવી ગંદકી પણ ઉદભવે છે, ત્યારે હજી આ પરંપરા આપણે અટકાવી શક્યા નથી, તેવા સમયે કરુણા ગૌ સેવક ભાઈ બહેનો મધ્ય રાત્રીએ દરેક મોહલ્લામાં જઈને આ કકળાટ નાં વડા ચાર રસ્તા પર નાંખાવા જતાં પહેલા જ દરેક મહિલાઓ ને પ્રેમથી આ વડા તથા ગૌ માતા વિશે સમજાવી ને સીધા કેરેટ અથવા થેલી માં લઈ લે છે અને રાત્રે જ ગૌશાળામાં જઈને ગૌ માતાને પ્રસાદી રૂપે ખવડાવી દે છે, જેનાથી વડા બનાવનાર પરિવારને ગૌ માટેનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને અનાજનો બગાડનું પાપ પણ નથી લાગતું, સાથે એ મહિલાઓ દ્વાર જે પાણી રસ્તા ઉપર નાંખે છે તે પાણી પણ ચોક ઉપર પાલિકા એ બનાવેલા નાનકડા બગીચા ના ફુલછોડ ને પીવડાવી દેવાની તજવીજ હાથ ધરાય છે, જેથી કરીને અન્ન અને પાણી બંને નો પવિત્ર સદ્ઉપયોગ થાય છે, આવા સુંદર પવિત્ર કાર્યની સેવામાં દરેક ગૌસેવકો ખૂબ ખૂબ સાથ સહકાર કરુણા ગૌ સેવા ટ્રસ્ટ ને આપે છે એવું ગૌ સેવક રમેશભાઈએ જણાવ્યું છે.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page