top of page

કનસાડના 500 વર્ષ પૂરણા મહાદેવ મંદિરનો ૧૨ મો પાટોત્સવ- કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી દ્વારા પુજા અર્ચના

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 30, 2021
  • 1 min read

આ કામનાથ મહાદેવનું શિવલિંગ પૌરાણિક છે, અને ભક્તોનું શ્રદ્ધાનું સ્થળ છે. - કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી

સચિન Prajapankh : અંદાજીત ૪૫૦ વર્ષ પુરાણું અને વોર્ડ 30 ના દક્ષિણે આવેલ કનસાડના કામનાથ મહાદેવ મંદિરનો ૧૨ મો પાટોત્સવ ઉજવાયો હતો, કેમ કે, મહાદેવની પૂનઃ પ્રાણપ્રતિષ્ઠા ૨૦૦૯ માં ૧૨-૧૨-૨૦૦૯ ના દિને થઈ હતી જેથી મંદિરનો દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૦-૧૨-૨૧ના રોજ ૧૨ મો પાટોત્સવનું ભવ્યતા ભર્યો ઉજવવામા આવ્યો હતો. જેમા આજના યજમાન માજી પાલિકા પ્રમુખ હરિશસિંહ સોલંકી પરીવાર હતો જેમા કોરપોરેટર ચિરાગસિંહ સોલંકી અને એમના ધર્મપત્ની પુજા અર્ચના અર્થે બિરાજમાન હતાં. ત્યારે મહાદેવની પૂજા-અર્ચના, હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો શાસ્ત્રીજી અનિલ વૈદ અને પરિક્ષિત આચર્ય અને અન્ય મહારાજનાં મંત્રોચ્ચાર સાથે તેઓના આચાર્ય પદેથી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામનાં વરિષ્ઠો અને યુવાનો દ્વારા મહાદેવનો ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વર્તમાન પરિસ્થિતિના કારણે અને સરકારનાં આદેશથી નિયમ મુજબ મહાપ્રસાદી રાખવામા આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા કામનાથ મહાદેવ મંદિર સમિતિનાં માર્ગદર્શન હેઠળ સૌ પરિવારજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ મંદિરના પ્રમુખ રમેશભાઈએ તથા શાસ્ત્રીજી અનિલ વૈદે કહ્યું કે આજે રુદ્રાભિષેક, પૂજન અર્ચન, શણગાર અને વિવિધ રીતે પૂજા કરવામાં આવેલ. આ કામનાથ મહાદેવનું શિવલિંગ પૌરાણિક છે, અને ભક્તોનું શ્રદ્ધાનું સ્થળ છે જણાવ્યું. મિત્રો અંતે ઓપચારીક રીતે કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીએ મંદીર વિષે કહ્યુંકે, આ મંદિરના પટાંગણમાં વૃક્ષ એ જ જીવન છે, વૃક્ષમાં પ્રભૂતા છે. તે સાર્થક કરવા વૃક્ષો વાવવા, જતન કરવું, ઉછેર કરવો, પાણી વિગેરેની સુવિધાઓ ઊભી કરવી તે અભિયાન ચાલુ છે. આ સેવાકીય પ્રવૃત્તિને કણસાડગામના લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page