કનકપુરમાં ૫ મી જૂન-વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
- Praja Pankh
- Jun 5, 2021
- 1 min read

સામાજિક વનીકરણ વિભાગ સાથે સુરત મહાનગરપાલિકા વિસ્તાર તથા જિલ્લામાં તુલસીના રોપાઓનું
નિ:શુલ્ક વિતરણ થશે

CHC અને PHC અને અન્ય હોસ્પિટલ ખાતેના કર્મચારી કોરોના વોરિયર્સનું તુલશી છોડ અર્પણ કરી સન્માન કરાયુ
સુરતઃ શનીવારઃ- કનકપુર ખાતે સવારે ૧૦ કલાકે તા. ૫મી જૂનની ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ભવ્ય રીતે ઉજવાયો, જેમાં સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધી પાની સુરત જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઇ, મનપાના મેયર શ્રીમતિ હેમાલીબેન બોધાવાલા, સ્થાયી સમિતી અધ્યક્ષ પરેશ પટેલ, ડે. મેયર દિનેશ જોધાણી, ગાર્ડન ચેરમેન શ્રીમતિ રેશ્માબેન લાપસીવાલા, શાસક્પક્ષ નેતા અમિતસિંહ રાજપુત અને વન સંરક્ષક અધિકારી ગણ અને વોર્ડ-૩૦ સ્થાનિક કોર્પોરેટર હસમુખ નાયકા, કાયદા સમિતિ ચેરમેન, ચિરાગસિંહ સોલંકી ટીપી સદસ્ય, રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય અને પિયુશાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતાં અને આ પ્રસંગે પધારેલ મહેમાનો અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે પધારેલ મહેમાનો દ્વારા ફલિત થઈ રહ્યુ હતુ. આજના ૫મી જુન વિશ્વ પર્યાવરણ દિવસે સુરત મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણની ભવ્ય ઉજવણી કનકપુર ખાતે થઈ છે અને પધારેલ મહેમાનો અને અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ
CHC અને PHC અને અન્ય ખાનગી હોસ્પિટલના કોરોના વોરિયર્સ સમા ડોકટરશ્રીઓ, નર્સીગ સ્ટાફને તુલશીના રોપા આપીને સન્માનિત કર્યા હતા. મહાનગરપાલિકા અને જિલ્લા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલશીના રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના મંત્રને સાર્થક કરીને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે મહાનગરપાલિકા પણ સંકલ્પબધ્ધ હોવાનું પધારેલ મુખ્ય મહેમાનોએ જણાવ્યું હતું. આજના વ્રુક્ષા રોપણ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો, નગર સેવકો તેમજ ડોકટરશ્રીઓ, નર્સીગ સ્ટાફ, વનવિભાગ તથા મહાનગરપાલિકાના ગાર્ડનના વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Comments