કનકપુર હિન્દી સ્કૂલમાં રસીકરણનું રસીકેન્દ્ર બનાવી મોકડ્રીલ થયું
- Praja Pankh
- Jan 9, 2021
- 3 min read
કનકપુરમાં અંદાજિત ટૂંક સમયમાં 50 વર્ષથી ઉપરના 2800 વ્યક્તિઓને કોરોનાની રસી મુકાશે,
જેના અભિયાન રૂપે આજે હિન્દી શાળામાં મોકડ્રીલ થયું, પ્રથમ તબક્કે હેલ્થવર્કર્સ, કોરોના વોરિયર્સ,
50થી વધુ વયનાઑને ત્રણ તબક્કામાં રસી અપાશે, રસીકરણ અંગે સ્થાનિક પદાધિકારીઓએ ડોકટર સિદ્ધાર્થ
મેહતા પાસેથી જાણકરી મેળવી.
સચિન : સમગ્ર ગુજરાત સહિત સુરત સિટીમાં સમાવેશ કનકપુરમાં પણ ટૂંક સમયમાં કોરોના
માટેની ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કો-વેક્સિન આપવાના શુભારંભની શક્યતા છે. જેના
અનુસંધાને રસી કેમ મુકાશે જેનું કનકપુર હિન્દી સ્કૂલમાં મોકડ્રીલ થયું. આ તબક્કે સુરત
મહાનગર સંગઠન મંત્રી ભીખુભાઈ પટેલ , ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સુરતના હિતેન્દ્ર્સિંહ
વાંસીયા, વોર્ડ 30 સંગઠન પ્રમુખ દિપક ચૌધરી અને પૂર્વ ઉપપ્રમુખ મેહુલ પટેલ તથા
ડેવલોપમેન્ટ કમિટી પ્રમુખ પ્રકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. મોકડ્રીલમાં ડોકટર સિદ્ધાર્થ
મેહતા દ્વારા જણાવાયું કે, પહેલાં તબક્કામાં હેલ્થવર્કર બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ અને ત્રીજા તબક્કામાં
50થી વધુની વયના લોકો અને 50થી ઓછી વયના પરંતુ કો-મોર્બિડ હોય તેમને રસી અપાશે. કનકપુરના કુલ
2800 લોકોને બે મહિનામાં રસીના બે ડોઝ અપાશે. અહી આવનારે આઈ કાર્ડ સાથે આવવાનું છે અને
પ્રથમ તો રોજ લગભગ 100 લોકોને રસી મૂકવાનું આયોજન છે. આ 2800 લોકોનું ઘેર ઘેર જઈને તમામનું
રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હેલ્થવર્કર હોય કે કોરોના વોરિયર્સ પરંતુ રજિસ્ટ્રેશન નહીં કરાવનારી કોઈપણ વ્યક્તિને રસીનો
લાભ મળશે નહીં કે મળશે જે બાબતની હજી ગાઈડ લાઇન આવી નથી. રસી માટે પ્રત્યેક હેલ્થ સેન્ટરની
આસપાસ આવેલી સ્કૂલને તથા કૉમ્યુનિટી હોલને કેન્દ્ર બનાવવામાં આવશે. આવા કનકપુરના કેન્દ્રો પરથી
લગભગ સવારે 9 થી 5 વાગ્યા સુધી રસી અપાશે. રસીકરણ માટે દરેકને મોબાઇલથી મેસેજ અપાશે,
અનેક સ્થળોએ રસીકરણ કેન્દ્ર તૈયાર કરાશે. આ બધા કેન્દ્રો પર તેમના સ્ટાફ અને 50 વર્ષના ઉપરના
લોકો માટે રસીની વ્યવસ્થા સરકાર કરી રહી છે. રસી માટેની સમગ્ર પ્રોસેસ 50 મિનિટની છે. રસી લીધા પછી
30 મિનિટ સુધી કેન્દ્ર પર બનાવવામાં આવેલા ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવું પડશે. જો કોઈ વ્યક્તિને સામાન્ય
આડઅસર હશે તો એડ્રીનલાઈન અપાશે. પરંતુ ગંભીર આડઅસર દેખાય તો પાસેની નક્કી કરેલ હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવશે. આડઅસર પછી કોઈપણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે નહીં. રસીના
નિયમ મુજબ તમને જે દિવસે અને સમયે બોલાવવામાં આવે ત્યારે ન પહોંચો તો ફરી રસી મુકાવવાની તક મળશે
નહીં. રસી કેન્દ્ર પર મેડિકલ ઓફિસર સિદ્ધાર્થ મેહતા તમારું હેલ્થ ચેકિંગ કરશે. જો શરદી, ઉધરસ, તાવ હશે તો
મેડિકલ એડવાઈઝ મુજબ રસી આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે. દરેક ઝોન પર રસીના 100 ડોઝ સ્ટોર કરાશે.
આ તબક્કે મંત્રી ભીખુભાઈ પટેલે ડોકટરને પુછ્યું કે, શહેરમાં રસીકરણ પ્રોગ્રામ ક્યારથી શરૂ થઈ શકે ?
તેવા પ્રશ્ન ના જવાબમાં હેલ્થ વિભાગની હાલની તૈયારીને જોતાં લગભગ જાન્યુઆરીથી લોકોને રસીના ડોઝ
આપવાનું શરૂ થઈ શકે છે. વધુમાં એમણે કહ્યું કે, અહી પોલીસ મિત્રો હશે તેમની સામે હેન્ડ
સેનેટાઈઝ કરી રસી સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન સમયે તમે જે ફોટોઆઈડી આપ્યું હોય
તે ફોટોઆઈડી ઓરિજિનલ બતાવવાનું રહેશે. 21 થી 28 દિવસ ગાળામાં રસીના બે ડોઝ આપવામાં આવશે,
પહેલો ડોઝ લીધા પછી 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે. ડોઝ આપ્યા બાદ એટલે કે, રસી આપ્યાની 30
મિનિટ દરમિયાન કોઈ આડઅસર થાય તો ડોક્ટર દ્વારા નક્કી કરેલી દવા આપવામાં આવશે. જો ગંભીર અસર ઊભી
થાય તો તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં દાખલ કરાશે જે માટેની ઈમરજન્સી કિટની તૈયારી પણ અમારી
પાસે રહેશે. અગાઉ કોરોના થયો હોય તો શું રસી આપી શકાય તો ડોકટરે કહ્યું કે, કોરોના મટી ગયો હોય
અને નેગેટિવ રિપોર્ટ આવી ગયો હોય તેવા તમામ લોકોને રસી આપવાનો નિર્ણય ઉપરથી ગાઈડ લાઇનમાં
આવશે તો અમે આપી શકીશું. સમગ્ર કાર્યક્રમ હાલ નક્કી કરેલા રસીકેન્દ્રો ખાતેથી મફતમાં રસી લેવાની
છે. આ તબક્કે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિતેન્દ્ર્સિંહ વાંસીયા પણ પુછ્યું કે, ઈન્જેક્શન પછી
સીરિંજ હબને હબ કટરથી કાપી નાશ કરાશે કે, જવાબમાં ડોકટર સિદ્ધર્થે કહ્યું કે, દરેક રસીકેન્દ્ર પર એક
વેક્સિનેટર અધિકારીની નિયુક્તિ કરાશે. જે રસીમાં વપરાતા ઈન્જેક્શન સુરક્ષિત હોવાની ખાતરી કરશે. દરેક વ્યક્તિને
રસી આપવા માટે વપરાતા ઈન્જેક્શનમાં નવી પેક એડી સીરિંજનો ઉપયોગ થાય છે કે નહીં તેની પણ આ અધિકારી
ખાતરી કરશે. ઈન્જેક્શનથી રસી આપ્યા બાદ તરત એડી સીરિંજના હબને હબ કટરથી કાપી નાખી તેનો વૈજ્ઞાનિક
ઢબે નાશ કરાશે એવું જણાવ્યું છે. આ મોક ડ્રિલમા હેલ્થ સેન્ટરના ડો. સિદ્ધાર્થ મહેતા, એસ આઈ,
પ્રદીપ ચૌહાણ, લેબ ટેકનિશયન સપના મિશ્રા, કોમ્યુટર ઓપરેટર ભાગ્યશ્રી પરમાર, ધવલ
રેશમવાળા, સી એચ ઑ કૃતિકા નાગરે, એમ પી એચ ડબલ્યુ ધ્વનિત વ્યાસ, ચિરાગ પટેલ
અને શૈલેષ બારોટ તથા આશા વર્કર તથા આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી અને
મોકડ્રીલ પાર પાડ્યું હતું.
Comments