કનકપુર શ્રીરામ નગર કામનાથ મહાદેવ મંદિરમાં ભવિક ભક્તો ઉમટી પડ્યા
- Praja Pankh
- Mar 1, 2022
- 1 min read
છઠપૂજા સમિતિના આગેવાનો દ્વારા ભવ્ય પૂજા અર્ચન અને પ્રસાદી સાથે શિવરાત્રિની ઉજવણી કરાઇ

પ્રજાપંખ સચિન : કનકપુર શ્રીરામ નગર કામનાથ મહાદેવ મંદિરમાં છઠપૂજા સમિતિ દ્વારા ભવ્ય પૂજા અર્ચન સાથે શિવરાત્રિ ઉજવાઇ હતી જેમા છઠ પુજા સમિતિના ચંદ્ર કિશોરસિંહ, શ્યામભાઇ શર્મા તથા અનેક શિવ ભક્તો આગેવાનો ઘર પરીવાર સાથે એકતાના દર્શન સાથે એક લાઇનમાં બેસી શિવ પૂજા કરી હતી. આ ભાવિક ભક્તોએ મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રિની પૂજા અર્ચના કરી ભવ્ય રીતે શિવરાત્રિની ઉજવણી કરી હતી, આ પ્રસંગે મુખ્ય શાસ્ત્રી રાજ કિશોર ઝા એ પૂજામાં શિવરાત્રીની મહીમા નું વર્ણન કરતા કથાસાર કહ્યો હતો કે, શસ્ત્રોમા કહેવાય છે તે પ્રમાણે શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે, જેથી ભાવિક ભક્તો આ દિવસે શંકર ભગવાનની પૂજા અર્ચના કરે છે અને તે દિવસ છે, દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) તેને શિવરાત્રિ કહેવાય છે, જ્યારે ભાવિક ભક્તો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહાવદ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી શાસ્ત્રો પ્રમાણે પ્રથમ જ્યોતિલિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ વ્રત કરવાથી ભગવાન મન ધાર્યા ફળ આપે છે એવું પૂજા દરમિયાન જણાવ્યું હતું. આ સાથે સચિન, તલંગપુર તથા આજુબાજુના અનેક ગામોનાં મહાદેવ મંદિરમાં ભવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
Comments