કનકપુર ગણેશનગરના શ્રી રામ મંદીર ખાતે પણ 73 મો ગણતંત્ર દિવસ ઉજવાયો
- Praja Pankh
- Jan 26, 2022
- 1 min read
સચિન પ્રજા પંખ : સચિન પાસે આવેલ કનકપુર ગણેશનગરના પવિત્ર અને બધાની માનતાઓ પુર્ણ કરતું સાક્ષાત શ્રી રામ મંદીર ખાતે પણ મંદીરના ટ્ર્સ્ટીઓ અને ઉત્તર ભારતિય સમાજના તથા અન્ય પધારેલ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને મિઠાઇની વહેંચણી કરાઇ હતી. આ પ્રસંગે દેશના સંવિધાનની ચર્ચા સાથે એક ધાર્મિકતા બાબતે બાળકોને નાનપણથી જ મંદીરમા ગીતા જ્ઞાન પિરસવું, અહી ધાર્મિક લાયબ્રેરી શરુ કરવી તથા ઘર બરબાદ તો દેશ બરબાદ થઈ શકે તે ન થવા દેવા માટે આપણું ઘર સ્વસ્થ રહે તો ગામ સ્વસ્થ રહે, ગામ સ્વસ્થ તો રાજ્ય અને રાજ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થ રહેશે જે માટે કોરોનાના નિયમો, ટ્રાફીકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો અંતે અખિલેશ શર્માજીએ સહુનો આભાર માન્યો હતો.
Comments