top of page

કનકપુર ખાતેના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની દ્વિતિય સાલગીરા ઉજવાઇ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 19, 2022
  • 1 min read


સચિન પ્રજાપંખ : ભારે ભાવિક ભક્તોની સાથે કનકપુર ખાતેના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની પ્રથમ સાલગીરા ઉજવાઇ ગઈ જેમાં હોમ હવન અને આરતી સાથે શ્રદ્ધા પૂર્વક મિષ્ટાન ની પ્રસાદી ધરાઇ હતી, આ પહેલા મંદીરના આજુ બાજુના રોડ અને પરીસરની કનક્પુરના ઝોન બી ભરુચા સાહેબ દ્વારા ભવિક ભક્તો કાજે સમ્પુર્ણ સાફ સફાઇ કરાઇ હતી. એવું મંદિરના સંજય માને અને રાકેશ પાટિલે જણાવ્યુ હતું. ગત વર્ષે પ્રસ્થાપિત થયેલ નવનિર્મિત મંદિરનો 'ગભારો' એટલે કે ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવેલ છે કે જેથી વધુ અને વધુ ભક્તો ગણપતિનું સભામંડપમાંથી સીધું દર્શન કરી શકે છે. અહી મુંબઈમાં બિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની જેમ જ શ્રી વિનાયક રિદ્ધિ સિદ્ધિ માતા સાથે બિરાજમાન છે. જેથી આ મંદિર પણ શ્રી સિદ્ધિ વિનાયકના નામે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ મંદિરમાં દરેક મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણપતિ દર્શન કરી પોતાની અભિલાષા પૂર્ણ કરે છે. અહીં મંગળવારે ઘણી ભીડ પણ હોય છે. અમુક પર્વ ના દિવસે તો વધુ સમય બાદ દર્શન કરી શકાય છે એવું લક્ષ્મણ પાટીલેજણાવ્યું હતું. ગણપતિ સ્થાપન સાલગીરા પૂજા મહોત્સવ અહીં વર્ષની 19/02 તારીખ પ્રમાણેના દિવસે ભવ્ય રીતે મનાવવામાં આવે છે. આજે પણ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સાલગીરા એસ ઓ પી ની ગાઇડ લાઇન પ્રમાણે ભાવિક ભક્તો અને મહેમાનો વચ્ચે ઉજવાઇ હતી આજની પુજા દિપક ચૌધરી અને મિસિસ ચૌધરી તથા ટ્રસ્ટ્ના સદસ્યો મળીને કરી હતી તથા પધારેલ ગણેશ ભક્તોને ખાસ સેવ બુંદીનો પ્રસાદ વિતરણ કરાયો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page