કનકપુર ઉડિયા શાળાના ધો.૮નાં બાળકોને શુભેચ્છા સહ વિદાઈ અપાઈ
- Praja Pankh
- Apr 8, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ: કનકપુર ઉડિયા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. શાળાની એસસમસીના અધ્યક્ષ ગીતાબેન શાહુ નાં પ્રમુખપણા હેઠળ તથા અતિથિ વિશેષ તરીકે શિક્ષણ વિદ પ્રકાશ ભાવસાર અને સમાજ અગ્રણી ભગીરથ બેહરા, ગોપી લિંકા ઉપસ્થિત રહ્યા હતાં, સાથે શાળાના બાળકોના વિદાય સમારંભમાં એસએમસીના સભ્યો, શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાંથી વિદાઈ લઇ રહેલા બાળકોને આચાર્ય મમતાબેને અને મહેમાનોએ અને શિક્ષકોએ જીવનમાં આગળ વધવા સખત પરિશ્રમ કરી તમામને કારકિર્દી ઉજ્જવળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણની સાથે રમતગમત તેમજ ઈતર પ્રવૃત્તિઓમાં અને વિવધ સ્પર્ધાઓમાં ભાગ લઇ જીવનના પડાવમાં ઓલરાઉન્ડર બનવા અનુરોધ કર્યો હતો. સરકારી ઉડિયા શાળા દ્વારા વિદાઈ લઇ રહેલા દરેક બાળકોને આજદિન સુધી ભણેલા અભ્યાસ રૂપી સ્મૃતિ ભેટ મળી હતી જે નિમિત્તે વિદાઈ લઈ રહેલ બાળકોએ શિક્ષકો નો આભાર માન્યો હતો હતો. પ્રસંગને અનુરૂપ તિથિ ભોજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બાળકો દ્વારા યોજાયા હતાં અને અંતે આભાર વિધિ કૃષ્ણકાંત કિશનભાઇ કરી હતી
Comentarios