એસ.એમ.સી.ના નવા કમિશ્નર તરીકે શ્રીમતી શાલિની અગ્રવાલે પદભાર સંભાળ્યો..
- Praja Pankh
- Oct 8, 2022
- 1 min read


સચિન પ્રજા પંખ : આજ રોજ સુરત મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી મુગલીસરા, સુરત ખાતે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રીમતી શાલિની અગ્રવાલે બપોરે પદભાર સાંભળી લીધો છે. મ્યુ.કમિશનર તરીકે ચાર્જ લેતાની સાથે જ તેમણે મીડિયાના મિત્રોની ઔપચારિક મુલાકાત કરી હતી. માન. મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2006મા સુરત શહેરમાં આવેલ મહાવિનાશક પુર દરમિયાન સતત બે મહિના સુધી રોકાઈ ને સેનીટેશન અને સાફ સફાઈની કામગીરી ખૂબ સારી રીતે પાર પાડી હતી. આ અગાઉ તેમણે તાપી જિલ્લામાં ડી.ડી.ઓ તરીકે ફરજ બજાવી હતી અને બેસ્ટ DDO તરીકેનો એવોર્ડ પણ મેળવેલ છે. સુરત શહેર અત્યાર સુધીમાં ભારત
ભરમાં સૌથી ઝડપથી વિકસતું શહેર છે. એમણે કહ્યું કે, સુરત શહેર શાંતિ-સુરક્ષા-યુનિટીનુ જીવંત ઉદાહરણ છે. આફતના સમયે અહીંના લોકોની એક બીજાને મદદરૂપ થવાની તત્પરતાની અનોખી મિસાલ છે જે અન્યો માટે પ્રેરણાદાયી છે. ભારત સરકાર શહેરના ઘણા પ્રોજેકટો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે.ઘણા આઇકોનિક પ્રોજેકટો શહેરમાં સાકારિત થયા છે. ગુજરાત સરકાર પણ શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને લોકો સાથે સંકલન માં રહી શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા કટીબધ્ધતા દર્શાવી હતી.
Comments