top of page

આમ આદમી પાર્ટી દ્વારા સચિન સ્લમનાં જર્જરિત મકાનોનાં સ્થાને નવા મકાનો માટે આવેદનપત્ર અપાયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 12, 2022
  • 2 min read

એસ એમ સી કમિશ્નર સુરત અને ગુજરાત હાઉસીંગ બોર્ડ જાગીર વ્યવસ્થાપક શ્રી ને સચિન સ્લમનાં જર્જરિત મકાનોનાં સ્થાને નવા મકાનો માટે આમ આદમી પાર્ટી એ આવેદનપત્ર આપ્યું

પ્રજાપંખ સચિન : સુરત મહાનગર પાલિકાના વોર્ડ ૩૦માં આવેલ સચિન સ્લમ ખાતે અંદાજ ૩૫ વર્ષ જુના જર્જરિત મકાનમાં રહેતા ગરીબોને આવાસ ફાળવી આ જગ્યા ઉપર નવાનામથી આવાસો બનાવડાવી ગરીબોને માટે તે છત સામે છત તરીકે એલોટ કરવા બાબતે આજે આપ પાર્ટીના કાર્યકર્તાઓ એ

એસ એમ સી નાં કમિશ્નર

શ્રી અને જાગીર વ્યવસ્થાપકશ્રી હાઉસિંગ બોર્ડ ને આવેદન આપી નીચે મુજબની માંગણી કરી, સુરત મહા નગર પાલીકામાં આવેલા સચિન સ્લમ બોર્ડના મકાનોમાં રહેતા ગરીબો માટે અમે આપ પાર્ટી ચિંતીત છીએ. આ સ્લમ વિસ્તાર અંદાજે ૮૫૦૦૦ મીટર જગ્યામાં ફેલાયેલો છે. અહીં આ વિસ્તારમાં નાનામોટા મળીને કુલ ૨૬૦૦ થી વધુ આવાસોમાં પરીવાર સાથે લોકો વર્ષોથી રહે છે. સ્લમનાં મકાનો ૩૫ વર્ષોથી વધુ જૂના થઈ ચૂક્યા છે. આ તમામ મકાનો લોડ બોરિંગ સિસ્ટમથી બનાવાથી છે. વર્ષ 2017માં પત્તાના મહેલની જેમ આ ઇમારતો કડકભૂસ થઇ ગઇ હતી. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ગરીબોનો ઘરવખરીનો સામાન દટાઈ ગયો હતો અને વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણકે પાણી ઈમારતની મૂળ સુધી પહોંચી ગયું છે તથા અહીંના લોકો જે પાણીનો વપરાશ કરે છે તે પણ અહીં આ વિસ્તારમાં જેતે ઈમારતોની આસપાસ જમાં રહે છે. એ પાણી પણ જમીનમાં પચી ગયું હોવાને કારણે ઇમારતની સ્ટેબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ગત નગર પાલિકા સમયે અમુક ઇમારતો રહેવા લાયક ન હોવાના સરકારી બોર્ડ પણ મારી દેવાયાં હતાં. અહીં વસતા ગરીબો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓ અહીં જ રહેવા મજબૂર બન્યાં છે અને જેઓ મકાન વિહોણા થઈ ગયા છે. તેઓ ત્યાંજ રૂમ બાંધી વસવાટ કરી રહ્યા છે. અંદાજે ૮૫૦૦૦ ચો.મીટર જગ્યામાં બનેલાં આવાસો ખખડધજ થઈ ગયાં છે અને ભૂકંપનો એક નાનો આંચકો મોટી સંખ્યામાં જાનહાની નોતરી શકે છે. આ સ્લમ બોર્ડનાં રહીશોને ચોક્કસ જગ્યાએ સરકારી આવાસોમાં છત ની સામે છત મળી રહે તેવી જોગવાઈ કરી સંપૂર્ણ સ્લમને ડીમોલેશન કરી નવા નામથી આવાસો સાથે શાળાઓ બનાવી જરૂરીયાતમંદોને લાભ આપવામાં આવે તેવી આપ પાર્ટી એ વિનંતી કરી છે. આવેદન પત્ર આપવા બાબતે તારીખ:12/5/2022ને ગુરૂવારે સવારે 12: 00 કલાકે સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને બીજું સુરત ખટોદરા ગુજરાત હાઉસીંગ બોર્ડ અધિકારી સાહેબ શ્રીને આપવાનું આવ્યું જેમાં "આપ"પ્રદેશ મંત્રી પ્રકાશભાઈ કોન્ટ્રાકટર તેમજ 168 ચોર્યાસી વિધાનસભાનાં પ્રભારી જીતુભાઈ પટેલ, સુરત મહાનગર પાલિકા વોર્ડ નં 4નાં કોર્પોરેટર ધમેન્દ્રવાવલિયા, સુરત શહેર ઉપપ્રમુખ વંદનાબેન સાલ્વે, સુરત વોર્ડ નં 30નાં પ્રમુખ અલ્પેશ પરમાર, ઉપપ્રમુખ કૃણાલ ગોહિલ, સંગઠન મંત્રી કેતન સુરતી,સતિષ યાદવ, યુવા પ્રમુખ નિરવ પટેલ,મહિલા પ્રમુખ પુનમ બેન તિવારી, સોનિયાબેન સોની, અલકાબેન પાંડે, લતાબેન સૂર્યવંશી, તેમજ સુરત વોર્ડ નં-30 માં "આપ"નાં હોદ્દેદારો તેમજ સ્લમબોર્ડનાં આગેવાન પ્રકાશભાઈ, મુન્નાભાઇ, પ્રેમભાઇ, સુરેશભાઈ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક જનતા હાજર રહ્યા હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page