top of page

એલ ડી હાઇસ્કુલ સચીન ખાતે અટલ ટિંકરીંગ લેબ, બ્રેઇન જીમ અને ટેબ્લેટ ક્લાસ રૂમનું લોકાપર્ણ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 7, 2021
  • 3 min read


અટલ લેબથી બાળકો નવા સંશોધનો માટે નવી દિશા કંડારશે, જાતે તેઓ ભણી નવું પરિવર્તન લાવવા અથવા એમના વિચારને વાસ્તવિકતામાં લાવવાની ઉત્કંઠ ઝંખના પુરી કરી શકે છે. આ લેબમા આ બાળકો દવા, ટેકનોલોજી, શિક્ષણ, રોબોટિક સર્જરી, કૃત્રિમ અંગો, આઇઓટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇ-લર્નિંગ, 3 ડી પ્રિન્ટીંગ જેવી અનેક વસ્તુઓ આજે કેવી રીતે કરવામાં આવે છે તે સંપૂર્ણ પણે જાણી શક્શે.


સચીન પ્રજા પંખ દ્વારા : એલ ડી હાઇસ્કુલ ખાતે આજે ત્રિવેણી સંગમનું લોકાર્પણ થયું, નીતિ આયોગના ઇનોવેશન મિશન હેઠળ અટલ ટિંકરીંગ લેબ, બ્રેઇન જીમ અને ટેબ્લેટ ક્લાસ રૂમના લોકાપર્ણ અને સાયન્સ ટિચરોને લેબટોપ અર્પણ કરાયા હતાં, આજના કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહાનુભાવો દ્વારા લેસ કાપીને ત્રિવેણી સંગમનુ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્ર સરકારના અટલ ઇનોવેશન મિશન અંતર્ગત એલ.ડી. હાઇસ્કુલ સચીને આ લાભ પણ લઈ લીધો છે, જેથી ....નો ચોક નો ટોક... થી વિદ્યાર્થીઓ ખુશ છે. હવે અટલ લેબ માં જાતે બાળકો ભણી શકે છે, આ લેબથી શાળામાં સાયંટીફિકલી બાળકોનો લગાવ રહેશે, નવા નવા સર્જનાત્મકતા પ્રયોગ વગેરે જાતે વિકસાવી શકશે. આ નીતિ આયોગ વિદ્યાર્થીઓને અટલ ઇનોવેશન મિશન (AIM), નીતિ આયોગ તેના અટલ ટિંકરિંગ લેબ (ATL) કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓમાં નવી ભાવના પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અટલ પ્રોગ્રામ, ગ્રાઉન્ડરૂટ સ્તરે યુવા વિદ્યાર્થીઓ નવીનતાઓનું નવું સંશોધનનું નિર્માણ કરશે અને આ અટલ લેબની ટેકનોલોજી બાળકોને કઈક નવૂ કરવા પ્રોત્સાહિત પણ કરતી રહેશે, જેથી આ લેબ 'સંશોધન, વિચાર, નવીનતા અને અમલીકરણ' ના માળખા પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. પ્રસંગને અનુરુપ અધ્યક્ષ દિનકરભાઇ નાયકે સ્વાગત પ્રવચન મારફતે સહુને શબ્દોથી આવકારી શાળાના આજ દીન સુધીના શૈક્ષણિક વિકાસની ગૌરવ ગાથા કહી હતી. હવે આ શાળા ચોક અને ટોકના સ્થાને આજની ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આજના મુખ્ય મહેમાન તરીકે અતિક્ભાઇ દેસાઇ - મુખ્ય વહીવટી અધિકારી અને ઉપ પ્રમુખ એલ. એન્ડ ટી. હજીરા હતાં સાથે કમલેશભાઇ યાજ્ઞિક – અધ્યક્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી-સુરત, અમિત મહેતા, આલ્ફા ફાઉંડેશન વાપી અને કેમિકલ ઉધોગપતી અશ્વિનભાઇ દેસાઇ ઉપરાંત અનેક મહાનુભાવો પધાર્યા હતાં અને પોતાના પ્રવચનોમાં ભારતની આજના ટેકનોલોજી ની વાતો કરી હતી, કમલેશભાઇ યાજ્ઞિકે કહ્યુ કે, સારુ કામ કરવુ અને સારુ કામ સમાજને દેખાડવુ પણ જરુરી છે જે આ શાળા કરી રહી છે. શિક્ષણમાં કરેલુ યોગદાન શ્રેષ્ઠ હોય છે. બાદમા અમિતભાઇએ કહ્યું કે, પર્પસ ઓફ લાઇફ અને પર્પસ ઓફ એજ્યુકેશન એ બન્ને વસ્તુઓની સગવડતા છે પણ કેમ કરવું જરુર છે. એક કાચબો ૧૫૦ વર્ષ જીવે છે અને મનુષ્ય પણ આવી ને જતો રહે છે. માણસ અને કાચબામા ફરક છે. આપણી વિચારસરણી અને બુદ્ધી સારી છે એ સમજ બાળઓકોમા પણ આપીયે તો એક પર્પસથી આપણે ઓટો સિસ્ટમમાં બાળકોને મુકી શકીશુ, આ સાથે અશ્વિનભાઇ દેસાઇએ કે જેમણે શિક્ષકો માટે લેપટોપ આપ્યા છે તેમણે કહ્યું કે, દિનકરભાઇએ પોતાનુ જીવન શિક્ષણ માટે સમર્પિત કરી દિધુ છે. આ સંસ્થામા ૪૫૦૦ બાળકો ભણે છે એ એમનુ મહેનતનુ ફળ છે અને આવા પ્રતિષ્ઠિત લોકોથી જ સંસ્થાઓ દિપી ઉઠે છે. પોતાના ફિલ્ડમા હમેશા ઓતપ્રોત રહે છે અને આટલી ઉમરે પણ તેઓ કાર્યરત છે. લોકો ને સાથે લઈને ચાલે છે. કહેવાનો મતલબ આવા લોકોથી સંસ્થાઓ સુંદર રીતે કામ કરે છે. દિનકરભાઇથી આપણે કઇક શિખીએ !, જ્યારે અતિકભાઇએ જણાવ્યું કે, જ્યાં નેતાગીરી સફળ હોય તો ત્યાં કેડર વ્યવસ્થિત બને છે. આ શાળાની કેડર બહુ સારી છે જેથી એલ એન્ડ ટી એ આજ દિન સુધી જે કઈ પણ આપ્યું, તેનો શિક્ષણમા સદઉપયોગ જ થયો છે. અટલ લેબ ના ઉદઘાટન સમયે દિવાલના સુ વિચારો વાંચીને હું ખુશ થયો, આખા દેશમા ૧૨૦૦ શાળાઓમાં આ અટલ લેબ કાર્યરત છે. સચિનમાં ભણેલા બાળકો ભવિષ્યમા આવા અનેક ક્ષેત્રોમાં પોતાનુ નામ ઉજાળશે એમા શંકાને સ્થાન નથી, આપણો દેશ યુવાનોનો દેશ છે, જેથી બાળકો આગળ વધી રહ્યા છે અને દેશના વિકાસને કોઇ રોકી શક્શે નહી.

આ પ્રસંગે સહુ મહાનુભાવોની ઉપસ્થિતીમાં સચીન કેળવણી મંડળ પ્રમુખ સંદીપ દેસાઇ, ભાજપના જિલ્લા સંગઠ્ન પ્રમુખ બનતા તેમનુ વિશેષ જાહેર સન્માન તાળીઓનાં ગુંજ વચ્ચે સચીન કેળવણી મંડળ દ્વારા શાલ ઓઢાવી, સન્માન પત્ર અને સ્મ્રુતિ ભેટ અર્પણ કરી કરવામાં આવ્યું હતું, આજ રીતે સંસ્થાના બીજા ઘર દિવડા સચિન કેળવણી મંડળના ટ્ર્સ્ટી એવા જયરાજબા કુંવરબા સોલંકીનું પણ બ્રેઇન જીમનું દાન કરવા બદલ મંડળ દ્વારા શાલ ઓઢાવી, સન્માન પત્ર અને સ્મ્રુતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું આજ સમયે સંસ્થાના સાયન્સ ટીચરો માટે લેપટોપ દાન કરનારા ઉધોગપતી એવા અશ્વિનભાઇ દેસાઇનું પણ મંડળ દ્વારા શાલ ઓઢાવી, સન્માન પત્ર અને સ્મ્રુતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું, આજના લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપરોક્ત મહેમાન સહ સિવિલના છાયડા ટ્ર્સ્ટવાળા ભરતભાઇ શાહ અને સાર્વજનિક સોસાયટીના મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. અંતમા આભાર વિધી સેક્રેટરી દિનેશભાઇ પટેલે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઇ વિરાણી (કવી) એ કર્યુ હતું.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page