top of page

એમ. ટી. પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પ્રવિણ ભાવસારનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 2, 2021
  • 2 min read

પ્રજાપંખ

: સુરત પોલીસ વિભાગમાં છેલ્લા 39 વર્ષથી ફરજ બજાવી રહેલા પ્રવિણ ચુનીલાલ ભાવસાર (એ એસ આઈ) તારીખ 31 ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો આગામી નિવૃત્તિ જીવન શાંતિપૂર્ણ અને સુખમય જાય એ માટે સુરત પોલીસ કમિશનર શ્રીની કચેરીમાં ખુદ પોલીસ કમિશનર (આઇપીસી) શ્રી અજયકુમાર તોમર સાહેબ હસ્તે તથા સુરત પોલીસ વહીવટી વિભાગમાં ડીસીપી શ્રીમતી સરોજકુમારી (આઇપીએસ)શ્રીના હસ્તે અને સુરત એમ ટી વિભાગ પોલીસ મથકના એમ ટી ઓ પાટણકાર તથા અશ્વિન પટેલ અને પોલીસ કર્મીઓ દ્વારા ફુલહાર તથા શાલ ઓઠાવી ફૂલ અને ફળો સાથે અપાયો નિવૃતિ વિદાય સમારંભ. . . . . . . .




પ્રજાપંખ: સુરત પોલીસ વિભાગમાં છેલ્લા 39 વર્ષથી ફરજ બજાવી રહેલા પ્રવિણ ચુનીલાલ ભાવસાર (એ એસ આઈ) તારીખ 31 ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા, તેઓ મૂળ મહારાષ્ટ્ર ભડગાવ અને છેલ્લા ઘણા વર્ષોથી સુરત ખાતે પરિવાર સહ રહેતા પ્રવિણ ભાવસાર તારીખ 31 ના રોજ વય મર્યાદા ના કારણે માનભેર નિવૃત્ત થયા હતા, જેમાં તેઓએ પોતાની કેરિયરની શરૂઆત પોલીસ કોસ્ટેબલ તરીકે એટલે કે પ્રથમ 04-12-1981 માં આર્મ પો કો તરીકે જોડાઆઇને કરી હતી. બાદમાં 1993માં એમટી સેકશનમાં વાહન ચાલક (ડ્રાઈવર) તરીકે આવ્યા અને આમ કુલ આજે 39 વર્ષની ફરજ બજાવી કોઈ પણ દાગ વગર ઉચ્ચ અધિકારીના આશીર્વાદ સહ માનભેર નિવૃત્ત થયા હતા. તેઓ સુરતના અનેક પોલીસ સ્ટેશનમા અને અધિકારીઓએ સાથે ફરજ બજાવી ચૂક્યા છે. જેમાં હર હંમેશ પોલીસ તંત્ર માટે 24 કલાક સેવા આપવા માટે કટિબદ્ધ એવા પ્રવિણ ભાવસાર ડ્યૂટી માટે હમેશા તત્પર રહેતા હતા. સમગ્ર સહકર્મી પોલીસ પરિવારમાં પ્રિય થયેલ અને શાંત સ્વભાવ, મૃદુભાષી અને પોઝિટિવ વિચાર ધરાવતા પ્રવિણ ભાવસાર અધિકારીના દરેક હુકમને હમેશા માન સન્માન આપતા રહ્યા છે. ગઈકાલે તાં 31 ના રોજ તેઓ વયમર્યાદા ના લીધે નિવૃત થતાં પોલીસ વિભાગમાથી વિદાય લેતા સહકર્મીઓ ભાવુક થઈ ગયા હતા અને સાથે જ પ્રવિણ ભાવસારે પણ તેઓને પોતાના વર્તન થી કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરવાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રવિણ ભાવસારે કહ્યું કે, હું પોતે સુરત પોલીસ પરિવાર કે અધિકારીઓ માટે હરહંમેશ દરેક કાર્ય માટે તત્પર રહેતો હતો, આપણાં વડીલો અને અધિકારીઓ ની સલાહ માનતો અને તેઓનું માન જાળવાતો, કેમ કે આપના કર્મો જ તમારું શ્રેષ્ઠ ભવિષ્ય છે અને આપણાથી નાના વ્યક્તિનું પણ ખાસ સાંભળવું કેમ કે ઉપર વાળો આજે નહીતો કાલે તેનો હિસાબ આપને જરૂર આપે છે એવું વિનમ્રતા પૂર્વક પત્રકારને પ્રવિણ ભાવસારે જણાવ્યું હતું. વધુમાં આજના અવિસ્મરણીય વિદાય પ્રસંગને અનુરૂપ એમણે કહ્યું કે, મારા જીવનમાં મે એ કદી વિચાર્યું નોહતું કે, તારીખ 31 ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા મારું આગામી નિવૃત્તિ જીવન શાંતિપૂર્ણ અને સુખમય જાય એ માટે સુરત પોલીસ કમિશનર શ્રીની કચેરીમાં ખુદ પોલીસ કમિશનર (આઇપીસી) શ્રી અજયકુમાર તોમર સાહેબ હસ્તે તથા સુરત પોલીસ વહીવટી વિભાગમાં ડીસીપી શ્રીમતી સરોજકુમારી (આઇપીએસ) હસ્તે અને સુરત એમ ટી વિભાગ પોલીસ મથકના એમ ટી ઓ પાટણકાર તથા અશ્વિન પટેલ અને પોલીસ કર્મીઓ દ્વારા ફુલહાર તથા શાલ ઓઠાવી ફૂલ સાથે ફળો આપી મને ઘર સુધીની વિદાય અપાશે. આવા મારા જેવા નાના કર્મચારીને આવી અવિસ્મરણીય નિવૃત્તિની વિદાય અપાઈ તે માટે હું અને મારો પરિવાર સુરત પોલીસ પરિવારનો અને અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભારી છુ.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page