ઉશ્કેરાયેલા પતિ દ્વારા દોરી વડે પત્ની ને ગળે ટુંપો આપી હત્યા....
- Praja Pankh
- Apr 20, 2022
- 1 min read
દંપતી નો ઝગડો આખરે હત્યા સુધી પોહંચ્યો.....
પી આઇ ઝાલા સાહેબની બદલી તાપી થતાં ગત રોજ એમણે ભાવભીની વિદાય આપી અને આજે સ્પેશિયલ બ્રાન્ચના પી આઇ મોદી સાહેબે સચિન ઇન્ચાર્જ પીઆઇ તરીકેનો હજી ચાર્જ
લીધો અને સ્વાગત મર્ડર થી થયું !

સચિન : પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન કનસાડ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી શ્રીરામનગર સોસાયટીમાં રાત્રિના સમયે ઘર બદલવા મામલે ઍક દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતી નો પિત્તો જતા પતિએ પત્નીને મારમારી ગળેટુંપો આપી હત્યા કરી નાસી છૂટ્યો હતો અને સીધો રેલ્વે ટ્રેક પર જઈને પોતે પણ આપઘાત કરી લેતા જેની જાણ સચિન પોલીસને થતાં યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પોહચી જઈ
સંપૂર્ણ કાર્યવાહી કરી હતી. મૂળ
સચિન કનસાડનાં કનકપુર ખાતેના શ્રીરામનગર સોસાયટીમાં રહેતો નરસિંહ સિંધુ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની ૩૦ વર્ષીય કંચન નરસિંહ સિંધુ પણ સાથે રહેતી હતી અને અચાનક રાત્રી દરમિયાન ઘર બદલવા મુદ્દે પતી પત્ની વચ્ચે તુ તુ મે મે થઈ મોટો ઝઘડો થયો હતો અને મામલો છેક ઝપાઝપી સુધી પોંહચી જતાં જેમાં ઉશ્કેરાયેલા પતિ નરસિંહે દોરી વડે કંચનને ગળે ટુંપો આપી હત્યા કરી બહાર નાસી ગયો હતો જેની લાશ રેલ્વે ટ્રેક પર મળી આવી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ પતી નરસિંહ સિંધુએ સચિન રેલવે સ્ટેશન નજીક કનસાડ ફાટક પાસે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું જેથી સચિનમાં સવારથી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના અંગે સચિન પોલીસ ઇન્ચાર્જ પી આઇ મોદીનાં માર્ગદર્શનમાં પી એસ. આઇ. એસ.આઇ. દેસાઈ તપાસ કરી રહ્યા છે. સાથે રેલવે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે નવસારીથી દોડી આવી હતી અને આમ બંને પોલીસે બંને લાશોનો કબજા લઈ પીઍમ અર્થે સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી છે. સચિન પોલીસે હત્યાનો ગુનો અને રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Commentaires