ઉન વિસ્તારમાં કુપોષિત બાળકો માટે જનજાગૃતિ અભિયાન
- Praja Pankh
- Apr 5, 2022
- 1 min read

સચિન પ્રજાપંખ : આજે વોર્ડ નં.૩૦ ના ઊન વિસ્તાર ની સુમન શાળા ન.૧૭ ના કંપાઉન્ડ માં સ્થિત નંદ ઘર ન.૧૫૧ માં ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલ ના પ્રમુખ મહીડા તથા આ આભિયાન ના સુરત શહેર ના ઇન્ચાર્જ અને વોર્ડ નં ૩૦ પ્રભારી શ્રીમતી સુચિત્રા પટેલની આગેવાનીમાં માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો નો જનજાગૃતી અભિયાન ને ઝડપ થી આગળ વધારવા ના ભાગ રૂપે આજે ઉન વિસ્તાર ના કુપોષિત બાળકો ને કેવી રીતે ઝડપ થી શુપોષિત કરી શકાય તે લક્ષ્ય પૂર્ણ કરવા તે માટે ભાજપ સરકાર ની તૈયારી થી ડોક્ટર ટીમ દ્વારા બાળકો ના વાલીઓ ને અવગત કર્યા. આજે ૪૪ જેટલા બાળકોની તપાસ તેમની માતા સામે કરાઈ અને બાળકોના ખોરાક વિશે સમજ આપી હતી આજના કાર્યક્રમમાં આ આભિયાન ના સુરત શહેર ના ઇન્ચાર્જ અને વોર્ડ નં ૩૦ પ્રભારી શ્રીમતી સુચિત્રા પટેલ,
સુરત શહેર ના મેડિકલ સેલ ના પ્રમુખ ડો વિરેન્દ્રસિંહ મહિડા, સુરત બીજેપી સંગઠન મંત્રી શ્રી ભીખુભાઇ પટેલ, કાયદા સમિતિ અધ્યક્ષ શ્રી હસમુખભાઈ, કોર્પોરેટર શ્રીમતી પીયૂસાબેન પટેલ, રીનદેવી, અજીતસિંહ રાજપૂત, તેમજ ચોર્યાસી મેડિકલ સેલ ના કન્વીનર ડો. વિરલ, વોર્ડ 30 ના મેડિકલ સેલ ના ડો રાજુભાઇ, ડો વિજયભાઈ મોરી, ડો બી. ગુપ્તા, ડો. ચંદનભાઈ તથા મેડિકલ ઓફિસર ડો.દર્શના બેન, આંગડવાડી ના હેડ જીગીષાબેન, તેમજ આંગણવાડી કર્મચારીઓ અને 44 જેટલા કુપોષિત બાળકો તેમની માતા સાથે ઉપસ્થિત રહ્યા... સમગ્ર ગુજરાત માંથી સંપૂર્ણપણે પ્રત્યેક બાળકો ને સુપોષિત કરવામાં આવશેના નેમ સાથે આ અભિયાન શરૂ કરાયો છે.
Comments