ઈ-ખાતમૂહૂર્ત બાદ આજથી સચિન સાતવલ્લા પુલનું કામ શરૂ...
- Praja Pankh
- Oct 12, 2022
- 2 min read
સચીન જીઆઈડીસીથી હજીરા સુધી વાહનોની લાંબી કતાર હવે ભુતકાળ બની જશે,


સચીન પ્રજા પંખ પ્રતિનિધિ દ્વારા:ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રમોદી સાહેબની લિંબાયતની જાહેર સભા દરમિયાન સચિન સાતવલ્લા પુલને 33 કરોડના ખર્ચે બનાવવા માટેનું ઈ-ખાતમહૂર્ત કરાયું હતું. આ પુલને નવે નામથી બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ-નવસારી સાંસદ શ્રીમાન સી.આર પાટીલ સાહેબે સુરત જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ ની રજૂઆતોને ગંભીરતાથી લઈને અંગત રસ લીધો હતો. સુરત-નવસારીને ટ્વીન સીટી તરફ દોરી જવા માટે ચોર્યાસી તાલુકાના મહાનગરપાલિકા વોર્ડ-30ની હદમાં આવેલાં આ પુલને નવો બનાવવા સુરત મહાપાલિકાએ આજરોજ બુધવારે તા.12મી-ઓક્ટોબર-2022નાં રોજ સવારે 9.30 વાગ્યે કામનાં શ્રી ગણેશ કર્યા છે અને ૩૦ માસમાં પૂર્ણ થશે, આ વિશેષ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ તેમજ સુરત જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ નો સ્થાનિક પદાધિકારીઓ અને નગર સેવકોએ આભાર વ્યક્ત કર્યો છે અને આજે ખુદ નગર સેવકો સાથે સંદિપ દેસાઇ જિલ્લા પ્રમુખ ભાજપ અને એસએમસી નાં અધિકારીઓ નવનિર્મિત બ્રીજના નિરીક્ષણ કાજે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જાણીએ તો હવે સચીન હજીરા ને જોડતો સચીન- સાતવલ્લાપર નવો બ્રિજ બનશે અને ટ્રાફિક નો ભાર હળવો થઈ જશે. આ નવો બ્રિજ બનાવવા બાબતે જાણીએ તો ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ જે. દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે, સાંસદ શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને કરેલી રજૂઆતને ધ્યાને રાખી બ્રિજ માટે નવી ગ્રાન્ટ ફાળવવમાં આવી છે. આ વર્ષોથી જૂના
બ્રિજ પર સચિન વિસ્તારમાંથી બરોડા - અમદાવાદ અને મુંબઈ માટેનો રેલવે માર્ગ પર નો મુખ્ય બ્રિજ હતો જે જર્જરિત થતાં બ્રિજને ઉતારી પાડવામાં આવ્યો હતો. આ બ્રિજ ઉતાર્યા બાદ જે તે સમયથી નગર સેવકો અને
સ્થાનિકો તથા ઉદ્યોગકારોની માંગણી થતી હતી. ત્યારે એ
માંગણી ધ્યાને રાખીને જિલ્લાના અગ્રીમ નેતા અને ભાજપા જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ દ્વારા આ બ્રિજ અને હંમેશા જામ રહેતા ટ્રાફિક સંદર્ભે નવસારી સાંસદ સી.આર.પાટીલને આવેદન પત્ર દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી અને માન. સાંસદ શ્રી સી આર પાટીલની માંગને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હતી. આ બાબતે સંદિપ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, બરોડા, અમદાવાદ, મુંબઈ રેલવે ટ્રેક પર સને 1967માં બનેલ સચીન- સાતવલ્લા રેલવે ઓવરબ્રિજ વધુ પડતો
જર્જરિત થઈ ગયો હતો જે બંધ કરતા ઘણીવાર તો ટ્રાફિક એક એક કલાક જામ થઈ જાય છે. આવી રોજીંદી સમસ્યાને પગલે નાના મોટા વાહન ચાલકોના હિતને ધ્યાનમાં રાખી આવી મોટી સમસ્યાને તાત્કાલિક દૂર કરવાના પ્રયત્ન શરૂ હતાં જે ધ્યાને રાખી સાંસદ સી. આર. પાટીલે કેન્દ્રીય હાઈવે મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીનું ધ્યાન આ ટ્રાફિક સમસ્યા તરફ દોર્યુ હતું. જે સમસ્યાઓ દૂર કરવા હાઈવે મંત્રાલય દ્વારા નવો બ્રિજ બનાવવા માટે યુદ્ધના ધોરણે મંજુર કરવામાં આવ્યો છે. જેથી હવે નવો બ્રિજ બનવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને હજીરા રોડનો વાહન વ્યવહાર પણ સરળ બનશે. સચીન-સાતવલ્લા બ્રિજ જે સ્થળે હતો તેના બન્ને છેડાનો એપ્રોચ રોડ યથાવત રહેશે. આ બ્રિજની લંબાઈ 53 મીટર રહેશે. જેથી જે દરખાસ્ત મોકલવામાં આવી હતી તેને કેન્દ્રીય મંત્રી દ્વારા મંજુર કરાઇ છે. સંદીપ દેસાઈની રજૂઆતને સાંસદ સી.આર.પાટીલ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂ કરતાં તે રજુઆત ફળી છે. ૩૩ કરોડના ખર્ચે 53 મીટર લાંબો બ્રિજ સાતવલ્લા મળશે, તો આ તબક્કે આજે સ્થાનિક સચીન, પાંડેસરા નાં ઉદ્યોગકારોએ તથા વોર્ડ ૩૦ નાં નગર સેવકો હસમુખભાઈ નાયકા, કાયદા સમિતિ ચેરમેન, ચિરાગ સિંહ સોલંકી,ટી.પી.સમિતિ સદસ્ય, રિનાદેવી રાજપૂત, પાણી સમિતિ સદસ્ય, પિયુશાબેન પટેલ, બાંધકામ સમિતિ સદસ્ય અને અન્ય પદાધિકારીઓ એ મહાનગર પાલિકા, કેન્દ્ર સરકાર તથા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ સાંસદશ્રી સી આર પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments