ઇક્લેરા ભાણોદરાનાં ડે..સરપંચ તરિકે પ્રવિણભાઈ રાઠોડ હવે ગામની સેવા કરશે
- Praja Pankh
- Jan 18, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : ગ્રામ પંચાયત નાં પરિણામ આવ્યા બાદ રીટાબેન નવીનભાઈ રાઠોડ એકલેરા ભાણોદરા ગામના નવા સરપંચ તરીકે ચુંટાયા હતાં અને સાથે પહેલા ૦૬ સદસ્યો સમરસ હતા સુધાબેન રાઠોડ, વાસંતીબેન આહીર, નૈના બેન રાઠોડ, મોજીયા સુલેમાન, પ્રવીણભાઈ રાઠોડ અને ફારુખ અહમદ સમરસમાં બિનહરીફ થયા હતાં બાકીના આ ચુંટણીમાં હવે બે વધુ સદસ્યો મનહરભાઈ સુરતી અને યુસુફ ભામજી ની પણ જીત થતાં ગામમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું આજે ડે. સરપંચ તરીકે પ્રવિણભાઇ રાઠોડની વરણી થતાં ગામમાં હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. લોકો ફૂલહાર થી સ્વાગત કર્યું હતું. હવે એકલેરા ભાણૌદરા ના સરપંચ તરિકે રીટાબેન રાઠોડ અને ડે..સરપંચ તરિકે પ્રવિણભાઈ રાઠોડ ગામની સેવા કરશે .
Comentarios