આંતર રાષ્ટ્રીય કથાકાર મેહુલભાઈ જાની તલંગપુર સંતોની ગામની પાવન ધરતી પર પધાર્યા...
- Praja Pankh
- Feb 24, 2022
- 1 min read
પ્રજાપંખ સચિન : શિવકા દાસ કદીના ઉદાસ, શ્રી મેહુલભાઈ જાની આંતર રાષ્ટ્રીય કથાકાર તલંગપુર સંતોની ગામની પાવન ધરતી પર આજે પધાર્યા છે અને સુંદર તળાવના પાળે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદીરનાં સાનીધ્યમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા સાત દિવસીય ભવ્ય શિવ કથા તથા મહા શિવરાત્રી મહોત્સવ અને વિરાટ રુદા્ક્ષ શીવલીંગ દશઁન નું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ પરથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની ખેરગામ વાળા બિરાજમાન થઈ આજે શિવકથા અને મહાશીવરાત્રિનાં દીને રાત્રે ૯થી ૧૨ કલાકે ભવ્ય અભિષેક કરી શિવરાત્રી ઉજવવામાં આવશે કથાની શોભાયાત્રા ટ્રસ્ટના ઉપપ્રમુખ અને રાજકીય અને સામાજિક આગેવાન ભીખુભાઈ પટેલ તલંગપુરનાં નિવાસસ્થાનેથી શિવ ધૂન
અને રાસ ગરબા સાથે નીકળીને કથા સ્થળે પોહંચી હતી. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઇ બહેનો જોડાયા હતાં. કથાની શરૂઆતમાં પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે જેના પર પિતૃઓની કૃપા થાય તેજ ગામમાં શિવકથા થાય છે. કથા માટે શ્રદ્ધા શાંતિ લક્ષ્મી ત્રિવેણી સંગમ જ શિવકથા છે. ભીખુભાઈ પટેલ અને સમસ્ત ટ્રસ્ટ દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાની તમામ તયારીઓ ગામનું મહિલા મંડળ અને ગામના યુવાધન ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આજના કથાના મુખ્ય રત્ન કણિકાઓ એ હતી કે, કથાનું આયોજન મર્દ માણસ કરી શકે છે, સંપતિની અને સંસ્કારની રક્ષા માટે સત્સંગ જરૂરી છે. શિવકા દાસ કદીના ઉદાસ, વિદેશ દ્રાક્ષ નો દેશ છે અને ભારત રુદ્રાક્ષનો દેશ છે.
Comments