આઝાદી કા અમૃત મહોત્સવ- સુરત - સચિન ના સરસ્વતી સ્કુલ ખાતે ઉજવાયો...
- Praja Pankh
- Aug 27, 2021
- 3 min read
કેંન્દ્રીય માહિતી અને પ્રસારણ ના ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા
“ આઝાદી કા અમૃત મહોત્સવ “
ના આઇકોનીક અઠવાડીયા ની ઉજવણીનાભાગરુપે સુરત ના સચિન ખાતેની સરસ્વતી સ્કુલ માં યોજાયો
“ ઇંટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ“
સચિન પ્રજાપંખ : આઝાદી ના ૭૫ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે ભારત સરકાર આ વર્ષ ને “ આઝાદી કા અમૃત મહોત્સવ “ વર્ષ તરીકે ઉજવવા ના ઉપલક્ષ મા દેશમા ઠેર ઠેર રાષ્ટ્રભક્તિ ની ભાવના ને ઉજાગર કરવા અને આઝાદી કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનાર ક્રાંતિકારીઓ / લડ્વૈયાઓના અમુલ્ય વારસા ને આજની યુવા પેઢી સમક્ષ ઉજાગર કરવા અને અને પ્રબળ રાષ્ટ્રભાવના ઉચ્ચ વિચારોનુ સિંચન કરવા વિવિધ કાર્યક્રમો નુ આયોજન થઇ રહ્યુ છે આ પ્રસંગે સુરત જિલ્લા ના કનક્પુર , કનસાડ, સચીન મુકામે આવેલી “ સરસ્વતી હિંદી વિધાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ " ના આઇકોનીક અઠ્વાડીયા ની ઉજવણીના ભાગરુપે કેંન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર તથા સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ તથા ડેવલપમેંટ કમિટિનાં સંયુક્ત ઉપક્રમે બે દીવસીય “ ઇંટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ“ નું આયોજન કરવામા આવ્યુ હતુ. બે દીવસ ના આ કાર્યક્રમ મા વિવિધ પ્રવ્રુતિઓ જેવિ કે અંદાજીત ૨ કિલોમીટર જેટલી ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ “ “ચિત્ર સ્પર્ધા “ “આઝાદી ની ચળવળ ને પોતાની નજર સમક્ષ નિહાળનાર સ્વાતંત્ર સેનાની / વરીષ્ઠ માહનુવભાવો નુ સન્માન “ “દેશભક્તિ ગીત,“ ચીત્ર પ્રદર્શન, “ “રાષ્ટ્રગાન, “ “ પ્રશ્નમંચ સ્પર્ધા, “ ફીટ ઇંડીયા સપથ, “ તથા વિષય અનુરુપ ઇતિહાસ વક્તાઓ ના ભાષણો નુ આયોજન કરવામા અવ્યુ હતુ. આ સાથે દેશમા પ્રવર્તમાન કોરોના મહામારી થી બચવાના ઉપયો તેમજ ખાસ વેક્સીન ની મહત્તા સમજાવવા એક્સ્પર્ટ દ્વારા વક્ત્વય નુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમ મા સરસ્વતિ હિંદી સ્કુલ દ્વ્રારા પોતાના વિધાર્થીઓ સાથે ચીત્ર સ્પર્ધા તેમજ કાર્યક્રમ મા ઉપસ્થીત તમામ દર્શકોમાં ” પ્રશ્નમંચ સ્પર્ધા “ નુ આયોજન કરવામા આવ્યુ તથા વિજેતાઓ ને ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા પુરસ્ક્રુત કરવામા આવ્યા. મુખ્ય વક્તા એવા એલ.ડી હાઇસ્કુલ , સચિનના આચાર્ય યુવા ડૉ. નિલેશ જોષીએ ભારતનાં 75 વર્ષ બાબતે ઇતિહાસની આઝાદી થી ગુલામી અને ગુલામીમાંથી આઝાદી ની રૂપરેખા પોતાના પ્રવચનમાં આપી, આઝાદીનો આ અમૃત મહોત્સવ એક પર્વ છે, જેથી એમણે બ્રિટીશ રાજ, આનંદ મઠ, વંદેમાતરમ તેમજ અંગ્રેજી શાસન, ઐતિહાસિક યુદ્ધો, ઝાંસીની રાણીની તથા સિવિલ સર્વિસની વાતો કરી આઝાદીના સંગ્રામની ભાવના અને તેના ત્યાગનો સાક્ષાત અનુભવ ઉપસ્થીત દર્શકો ને કરાવ્યો, એમાં દેશ માટે બલિદાન આપનારા શહિદોને નામ સાથે યાદ કર્યા, મહાત્મા ગાંધીજીના વિચારો ની ઝલક અને દયાનદ સરસ્વતી, ભગતસિંહની ભારતના ગૌરવની ઝલક પણ આપી સાથે આધુનિક ભારતની ઝલક પણ આપી, તેમણે આધ્યાત્મનાં પ્રકાશની અને વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યની વાત એ રીતે કરી જાણે તેઓ આઝાદીનાં સાક્ષી રહ્યા હોય, એમ એમણે 75 વર્ષની સિદ્ધિઓને આજના બાળકો સામે નજર કરી હતી.મેડિકલ ઓફિસર નૃપાંગ કિકાગણેશે કોરોનાથી કેમ બચી શકાય અને વેક્સિન કેમ લેવી જોઇએ જેના પર પ્રકાશ પાડી પ્રશ્નોત્તરી કરી સારી માહીતી આપી હતી.આ ઉપરાંત પધારેલ મુખ્ય મહેમાન અશોક ત્રિવેદી, કોર્પોરેટર અને પાણી સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત, કોર્પોરેટર અને બાંધકામ સમિતિ સદસ્ય પિયુષાબેન પટેલ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના જિલ્લા કો.ઓડિનેટર સચિનજી એ પણ વિષય અનુરુપ અનુભવો જણાવ્યાં હતા. માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય ઐતિહાસિક ઝાખીઓ દર્શાવતું પ્રદર્શન પણ ગોઠવાયુ હતું જેનો લાભ વિધ્યાર્થિઓ, વરિષ્ઠો સાથે નગરજનોએ પણ લીધો હતો, આ ઐતિહાસિક પર્વ માટે દેશે એક જનજાગૃતીની રૂપરેખા પણ તૈયાર કરી હતી એવા અઝાદી ની ચળવળ ને પોતાની નજરો સમક્ષ નિહાળનાર સ્વાતંત્ર સેનાની / વરીષ્ઠ માહનુવભાવો જેમાં વરીષ્ઠ વડીલ એવા ડો. રણજિતસિંહ વાંસીયા, ઉત્તમભાઇ સુરતી, સુમનભાઇ નાયક, અમરસિંહ સોલંકી, રમણભાઇ નાયકનું ભવ્ય સન્માન જે.ડી.ચૌધરી હસ્તે શાલ ઓઢાડી કર્યુ હતું. સ્કુલ ના ટ્ર્સ્ટી શ્રી અશોક ત્રિવેદીએ પણ જણાવ્યુ હતુ કે , 12મી માર્ચ દાંડી યાત્રા થી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ થઈ ચુક્યો છે, ત્યારે આપણે ગુલામીના એ દોરની કલ્પના કરીએ છીએ, જેમાં કરોડો-કરોડો લોકોએ સદીઓ સુધી આઝાદીની એક સવારની રાહ જોઈ, ત્યારે એ અનુભૂતિ વધારે વધે છે કે આઝાદીના 75 વર્ષોનો અવસર કેટલો ઐતિહાસિક છે, કેટલો ગૌરવશાળી છે. સમગ્ર કાર્યક્રમનુ અયોજન, સંચાલન ફીલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર ના અધિકારી શ્રી શ્રી જે.ડી.ચૌધરીએ કર્યુ હતુ. કાર્યક્રમ દોરી સંચાલન દિલિપભાઇ ચાવડાએ કર્યું હતું. સિનિયર સિટિઝન ટ્રસ્ટ્ના પ્રમુખ બહાદુરસિંહ સોલંકીએ આભાર વિધી સાથે કાર્યક્રમ સમાપન થયુ હતુ પ્રસંગને અનુરુપ સચિન વિસ્તાર ના યુવાઓ, સિનિયર સિટિઝનો, કમિટિના સદસ્યો, સરસ્વતી શાળા પરીવાર, નેહરુ યુવા કેંદ્ર ના વોલીયેંન્ટર્સ ઉપસ્થિત રહયા હતા, આ ભારતના અમૃત મહોત્સવ ને નવસારી પી.આઇ. મયુર પટેલે, સચીન પી એસ આઇ એસ. આઇ. દેસાઇએ, કોર્પોરેટર અને કાયદા સમિતિ અધ્યક્ષ હસમુખ નાયકાએ તથા કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીએ ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટ રીચ બ્યુરો, પાલનપુર – સુરત, સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ તથા ડેવલપમેંટ કમિટિનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત થયેલ “આઝાદી ના અમ્રુત મહોત્સવ““ કાર્યક્રમને દૂરધ્વનીથી શુભેચ્છઓ પાઠવી હતી. આ પ્રંસંગે સચિન નિવાસી પ્રતિભાવાન અનેક સંસ્થા સાથે જોડાયેલ પ્રકાશ ભાવસાર તથા નિવૃત્ત અધિકારી એ.જી.સોનેરી નો નોધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો.
Comments