top of page

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી. કક્ષાનો કલા મહોત્સવ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં યોજાયો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 12, 2021
  • 1 min read

ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી તેનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. દેશભરમાં વિવિધ કાર્ય્ક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ચિત્રકલા, કાવ્યગાન, નિબંધ, વક્તૃત્વ વગેરે સ્પર્ધાઓ યોજીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા આવી રહી છે. તેનાં પ્રથમ સોપાન રૂપે આજે તા.11-10-2021 ને સોમવારે સવારે 9:00 કલાકે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા -નાનાવરાછામાં સી.આર.સી. કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ,તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ,આચાર્યશ્રીઓ, કેંદ્રાચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિ અને સી.આર.સી. શ્રી વિતેંદ્રભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે યોજાયેલ વિવિધ ચિત્રકલા સ્પર્ધામાં ચંદ્રિકાબેન લક્કડ(શા.ક્ર. 272) અને અમિષાબહેન પાઠક (શા.ક્ર. 252), નિબંધ લેખન સ્પર્ધામાં રાજેશભાઈ ધામેલિયા (શા.ક્ર.272) અને હંસાબહેનપટેલ (શા.ક્ર.16), વક્તૃત્વ સ્પર્ધામાં વૈશાલીબહેન સુતરિયા (આચાર્યાશ્રી, શા.ક્ર.16) અને ભાવિષાબહેન(શા.ક્ર.348) તેમજ કાવ્યગાનસ્પર્ધામાં રેખાબહેન વસોયા (શા.ક્ર.272) અને પ્રવીણાબહેન દેસાઈ (શા.ક્ર.16) વગેરેએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page