આગામી દિવસોમાં ઓડીસા સમાજ ઘરે-ઘરે જઈને ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે......
- Praja Pankh
- Feb 5, 2021
- 1 min read
પ્રવાસી ઓડિસા સમાજના પ્રદીપ શાહુ અને બીજા આગેવાનોએ એક પત્રકાર પરિસદ યોજીને જણાવ્યું હતું કે તેઓ કોરોના મહામારી માં પણ સુરત શહેરના અનેક લોકોને મદદ કરી હતી આ ઉપરાંત તેઓએ અનેક સેવાઓ સુરત શહેર માટે નિસ્વાર્થ રીતે કરી હતી...આ ઉપરાન્ત તેઓ ભાજપ પાર્ટી સાથે પણ કદમ-થી કદમ મિલાવીને ચાલ્યા હતા પરંતુ હવે જયારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે તેમના ઉમેદવારો પૈકી નવ કાર્યકરોએ ઉમેદવારી રજુ કરી હતી પણ એમાંથી એક પણ પ્રતિનિધિને તક નહિ આપતા આશ્ચર્ય સર્જાયું છે આખરે પક્ષે તેમના ઉપર કેમ ભરોષો નથી કર્યો તે પણ તેમને સમજાતું નથી...પ્રવાસી ઉડ઼ીસા સમાજના આગેવાનોને સુરત શહેરમાં વસતા અનેક ઉડ઼ીસા વાસી નાગરિકો સવાલ કરી રહ્યા છે કે આખરે તેમની જ સાથે જ શા માટે આ પ્રકારનો ભેદભાવ કરવા માં આવ્યો હતો...અને હજુ પણ ભાજપ તેમની વાતો સાંભળીને તેમના પ્રતિનિધિઓ ને ટિકિટ આપે તેવી માંગ કરી રહ્યા છે અને જો આવું નહિ થયા તો આગામી દિવસોમાં તેઓ ઘરે-ઘરે જઈને ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે અને તેમનો કિંમતી વોટ નાટોને પણ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી... બ્યૂરો રિપોર્ટ પ્રજા પંખ સુરત . . . .
Comments