અવિરત ઑક્સિજન આપી " સેવા એજ સંકલ્પ "ને સિદ્ધ કરતું સચિન ઈન્ડ.એશોસિયેસન...
- Praja Pankh
- Jun 16, 2021
- 1 min read
સચીન પ્રજાપંખ : સેવા એજ સંકલ્પ આ કેહવતને સચીન ઈન્ડ. એસોસિએશન તથા સચીન જીઆઈડીસી ના ઉધૌગકાર સાથી મિત્રોએ સાર્થક કરી બતાવી છે. કોરોના ની બીજી લહેરમાં જયારે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ન મળતું હતું ત્યારે ઓકિસજન ની સેવા (ઓકિસજન ની આજ રોજ સુધી ની સેવા મા કુલ ૬૫૦૦ બોટલ આપી અવિરત સેવા કરી છે. આવા કોરોના મહામારી સમયે આપણા સચીન ઇન્ડ. એસોસિએશનના તમામ સાથી મિત્રોએ પોતાની જવાબદારી સમજી પોતાનાથી બનતી તમામ મદદ જરૂરિયાત પુરી કરી હતી જેમા ગત રોજ
સચીન ફાયર સ્ટેશન ના સ્ટાફ દ્વારા થયેલ મદદ માટે સહુનું સન્માન કરવામાં આવ્યું છે , જે જે મિત્રોએ આર્થિક દાન આપ્યું હોય તથા કોઈએ શ્રમિક દાન આપ્યું તો કોઈએ એક બીજાને ફોન કરી કરાવીને પણ લોકોના કામ કર્યા છે એ બધા મિત્રૌ નો આભાર માન્યો છે અને તેઓ સહુ હાજર રહ્યા હતા તથા આવા તમામ સાથી ઉધૌગકાર મિત્રો, સમાજના માર્ગદર્શક વડીલો, યુવા ગૃપ નો સચીન ઇન્ડ. એસોસિએશન દ્વારા ફરીથી આભાર માનવામાં આવ્યો હતો અને સહુને અભિનંદન પાઠવ્યા હતાં એવું મહેન્દ્રભાઈ રામોલિયા એ
જણાવ્યું છે વધુમાં હજી ઓકિસજન ની સેવા જ્યાં સુધીની જરુરીયાત રહેશે ત્યાં સુધી ૨૪ કલાક સેવા ચાલુ રહેશે એવું પણ મહેન્દ્ર રામોલિયા એ
જણાવ્યું છે..
Comentários