અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સરદાર ભવન ખાતે ધ્વજ વંદન......
- Praja Pankh
- Jan 27, 2023
- 1 min read

સચિન : 74માં પ્રજાસત્તાક દીન નીમિત્તે અખિલ ભારતીય સેવાદળ.સુરત શહેર દ્વારા કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલના હસ્તે સરદાર ભવન, સોનીફલિયા,સુરતના મુખ્ય દરવાજા પાસે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેના ધ્વજ રક્ષક તરીકે જિલ્લાધીનાયક શ્રી મોહંમદ ઇકબાલ શેખએ સેવા આપી હતી. ઉપપ્રમુખ ધીરુભાઈ સોનારિયવાલા,સંગઠક શ્રી લાભુભાઈ પાલડી યા,દેવશીભાઇ સિંગાલા, દિનેશ રાણા,સિદ્દીક અંસારી,રામસાગર પાઠક,સઈદભાઈ શેખ, દક્ષાબેન ભાવસાર, ભટ્ટ,ભાલચંદ્ર યાદવ,આબિદલી સૈયેદ,અનિલ ઠાકોર વિગેરે હાજર રહ્યા હતા.શ્રી પ્રભુદાસ ટી.પટેલ એ દેશની આજની પરિસ્થિતિ નો ચિતાર આપ્યો હતો. સાર્વજનિક લોખાત હોસ્પિટલ ખાતે યોજાયેલ ધ્વજવંદનમાં જિલ્લાધીનાયક મોહંમદ ઇકબાલ શેખ અને સિદ્દીક અંસારી એ ધ્વજ રક્ષક તરીકે સેવા આપી હતી એ મોહંમદ ઇકબાલ શેખ
જિલ્લાધીનાયકએ જણાવ્યું હતું.
Commenti